________________
પ૮
હિંદુસ્તાનની ગરીબાઈ મોટી માગ ઊભી થઈ હતી. ઉપરના જ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ઈ. સ. ૧૮૦૧ થી ૧૮૬૯ સુધીમાં દેશી રાજ્ય વિનાના હિંદુસ્તાનમાં ર૬ ૬,૦૦૦,૦૦૦ પાઉંડની કિંમતના સિકકા પાડવામાં આવ્યા હતા. સરકારી ગણતરી મુજબ જ આવડા મોટા વિશાળ દેશમાં વેપારી અને મહેસુલી લેવડદેવડમાં સિકકાનો ઘસારે દર વર્ષે ૧૦ લાખ પાઉડનો છે. પરંતુ આપણે ૬૯ વર્ષના કુલ ઘસારા પેટે માત્ર ૬ ૬,૦૦૦,૦૦૦ પાઉંડ જ બાદ કરીએ, તો ચલણમાં ૨૦૦,૦૦૦,૦૦૦ પાઉંડના સિકકા રહે. તેમાંથી પ૦,૦૦૦,૦૦૦ પાઉંડના સિક્કાને ગાળી કાઢવામાં આવ્યા હોય એમ માની લઈએ, તો વાસ્તવિક ૧૫૦,૦૦૦,૦૦૦ પાઉંડના સિકકા ચલણમાં ગણાય. તેમાં ઘસારાના ૬૦,૦૦૦,૦૦૦ પાઉંડ ઉમેરીએ, અથવા ભૂલચૂક ન થાય તે માટે માત્ર ૫૦,૦૦૦,૦૦૦ પાઉંડ જ ઉમેરીએ, તે સિક્કા પેટે તે વર્ષો દરમ્યાન કુલ ર૦૦,૦૦૦,૦૦૦ પાઉંડનાં સેન્ચાંદી દેશમાં વપરાયાં એમ કહેવાય. એટલે લોકો માટે ૧૩૫,૦૦૦,૦૦૦ પાઉંડનાં સોનું ચાંદી બાકી રહ્યાં. તેને ૨૦૦,૦૦૦,૦૦૦ ઉપરની વસ્તીમાં વહેંચી નાખીએ, તો ૬૯ વર્ષ દરમ્યાન માથાદીઠ ૧૩ શિ. ૬ પેન્સનાં સોનું ચાંદી લોકોને ભાગ આવ્યાં ! પરંતુ, ઇંગ્લંડમાં ઈસ. ૧૮૫૮ થી, ૧૮૬૯ સુધીનાં ૧ર વર્ષોમાં જ સિકકા વગેરે પેટે વપરાયેલાં સોનું ચાંદી ઉપરાંત લોકો માટે માથાદીઠ ૩૦ શિલિંગનાં સોનું ચાંદી આવ્યાં છે. હિંદુસ્તાનમાં સિકકા વગેરે પેટે જે રકમ આપણે બાદ કરી છે, તે બાદ ન કરીએ; અને જેટલી કિંમતનાં સોનું ચાંદી કુલ દેશમાં આવ્યાં છે, તે બધાં જ લોકો પાસે ગયાં છે એમ માનીએ, તોપણ ૬૯ વર્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org