________________
હિંદુસ્તાનની ગરીબાઈ .૪ રૂપિયે મણ હતો. જ્યારે, સંબલપુરમાં ૧ રૂપિયા બે આના હતો, બિલાસપુરમાં ૧ રૂપિયે હતો, અને ભંડારામાં બે રૂપિયા હતો.
તે વર્ષે મદ્રાસ ઇલાકામાં પણ એ જ દશા છે. જેમ કે, રેલવે લાઈન કે તેવાં બીજાં બાંધકામવાળા કુડપ્પામાં ગાર્સ (એટલે કે ૯૨૫૬ રતલ) ને ૪૯ર રૂપિયા છે; કઈમ્બતુરમાં ૪૭૪ રૂપિયા છે; તથા મદુરામાં 199 રૂપિયા છે. પરંતુ તેવા કોઈ બાંધકામ વિનાના વિજાગાપટ્ટમમાં ર૦૩ રૂપિયા છે; ગોદાવરીમાં ૨૨૨ રૂપિયા છે, અને ગંજમમાં ૨૩૨ રૂપિયા છે. તે જ દશા પંજાબ અને વાયવ્ય પ્રાંતોમાં ઈ. સ. ૧૮૬૮-૯ ના આંકડાઓ ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. જેમ કે, રેલવે લાઈન બંધાઈ ગઈ હોવાથી દિલ્હીમાં ઘઉંનો ભાવ રૂપિયે પર રતલ છે, અને અંબાલામાં ૪૮ રતલ છે; પરંતુ રેલવે લાઈન જ્યાં બંધાવાની શરૂ થઈ હતી. તેવા મુલતાનમાં ભાવ ૩૪ રતલ છે, અને પેશાવરમાં ૩૦ રતલ છે.
મુંબઈ ઇલાકામાં ગયાં થોડાં વર્ષ દરમ્યાન રૂનો ભાવ સારે આવ્યાથી, તેમ જ રેલવેનાં બાંધકામ ચાલુ હોવાથી હિંદુસ્તાનના બીજા ભાગે કરતાં ભારે પ્રમાણમાં ઊંચા છે; છતાં, જ્યાં રેલવેનાં બાંધકામ અને રૂની આવક એ બંનેની ભેગી અસર છે, તેવાં મુંબઈ, વડોદરા, સુરત, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં બીજા ભાગ કરતાં ભાવો સૌથી વધારે છે. પરંતુ બેલગામ કે ધારવાડ, જેઓ રેલવેલાઈને ઉપર નથી, ત્યાં ભાવ ઓછા છે.
એ જ સ્થિતિ બંગાળમાં પણ ઈ. સ. ૧૮૬૮ દરમ્યાન રેલવે લાઈનથી દૂરના ટિપરા, પૂર્ણિયા, કટક, પૂરી, ઢાકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org