________________
૪૪
હિંદુસ્તાનની ગરીબાઈ વાતો કરીને દેશમાં એવો ખ્યાલ ઊભો કરવામાં આવે છે કે, લોકે તવંગર થતા જાય છે. તેથી એ બધી બાબતનો ખુલાસે કરવાની જરૂર છે. આ તથા પછીના પ્રકરણમાં આપણે એ મુદ્દાઓની જ તપાસ કરીશું.
વસ્તુઓના ભાવ સામાન્ય રીતે નીચેનાં ત્રણમાંથી ગમે તે એક કારણે વધી શકે :
૧. પરદેશ સાથેના વેપારમાં લાભદાયક વધારો થવાથી દેશની નિકાસના બદલામાં સારે નફો મળવા લાગે; અને તેને કારણે દેશમાં વધેલી મૂડી અને સમૃદ્ધિને કારણે લેકમાં વસ્તુઓની માગ વધે તથા તેને કારણે વસ્તુઓના ભાવ ઊંચા આવે. આમ, લોકોની સર્વસામાન્ય સમૃદ્ધિને કારણે જે ભાવો ચડે, તે દેશની આબાદીની નિશાની છે, એમાં શંકા નથી.
૨. દેશની આબાદી ન વધી હોય; પરંતુ અમુક ખાસ પ્રજનને અર્થે, દેશના બીજા ભાગમાંથી કે પરદેશમાંથી પસાના અમુક જથે ઉછીને આણી, દેશના કોઈ ભાગમાં રેલવે છે તેવું બીજું બાંધકામ શરૂ કરવામાં આવે, જેથી તે ભાગમાં મજૂરોની મોટી સંખ્યા ભેગી થઈ જાય, પરંતુ તે પ્રમાણમાં તેમની અન્ન વગેરેની જરૂરિયાતો બહારથી લાવવાનાં સાધન પૂરતાં ન હોવાથી, તે ભાગ પૂરતા અનાજ વગેરેના ભાવો તાત્કાલિક ચડી જાય. એ રીતે તાત્કાલિક તેમ જ અમુક ભાગમાં ચડેલા ભાવોને, આખા દેશની સર્વસામાન્ય આબાદીની નિશાની ન જ કહી શકાય. : ૩. ઉપરના બંને કારણેમાંથી એક પણ અમલમાં ન આવ્યું હોય, પરંતુ ખરાબ વર્ષને કારણે અનાજ વગેરેની પેદાશ જ લોકોને જોઈએ તે કરતાં ઓછી થઈ હોય, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org