________________
હિંદુસ્તાનની ગરીબાઈ ઉપરાંત એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, હાથી ઉપર એક ટન વજન ના તો તેને કંઈ વિસાતમાં પણ ન હોય, પરંતુ નાના બાળક ઉપર થોડા શેર વજન ના તો પણ તે કચરાઈ જાય. અંગ્રેજ પ્રજા પોતાની માથાદીઠ વાર્ષિક ૬૦૦ શિલિંગની આવકમાંથી ૫૦ શિલિંગ કરેરે ભરે. અને હિંદી પ્રજા પોતાની ૪૦ શિલિંગની આવકમાંથી ? શિલિંગ કરવેરો ભરે, એ બેમાં મોટો ફેર છે. કરવેરાનો બે સહેલાઈથી ઊંચકી શકાય એવો છે કેચરી નાખે તેવો છે, એ નકકી કરવાનું સાધન, તે કરવેરો ભરવાની લોકોની શક્તિ કેટલી છે તે જાણવું, એ છે. મોટે ભંડાર હોય, તેમાંથી તમે ટોપલી ભરીને આપી દે, તો પણ તમને કાંઈ ન અડે; પરંતુ પેટ પૂરતું પણ ન હોય, તેમાંથી એક મૂઠી જેટલું પણ કોઈ લઈ લે, તે તમારા પગ ભાગી જાય. - વળી, ઉપર જણાવ્યું તેમ, હિંદુસ્તાનની બાબતમાં તા. તે કરવેરાની રકમને મોટો ભાગ પરદેશ ઘસડાઈ જતા હોવાથી, દેશની આવક દર વર્ષે ઘટતી જાય છે, ત્યારે બીજી બાજુ છેલ્લાં કેટલાંય વર્ષોથી કરવેરાની રકમ સરકાર વધારતી જ જાય છે. આ સ્થિતિમાં હિંદુસ્તાનની પ્રજા ઉપરને કરવેરાનો બોજો ‘કચરી નાખનારે' ન કહેવાય તે બીજું શું કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org