________________
હિંદુસ્તાનની ગરીબાઈ લકાને જ પાછો મળે છે; બીજા શબ્દોમાં કહીએ તો તે આખી રકમ દેશમાં જ ખર્ચાતી હોવાથી દેશમાં જ રહે છે. પરંતુ હિંદુસ્તાનની માથાદીઠ ૪૦ શિલિંગ જેટલી કંગાળ પિરાશમાંથી ૨૫,૦૦૦,૦૦૦ પાઉંડ તો દર વર્ષે હંમેશને માટે
ખા દેશની બહાર જ તણાઈ જાય છે, જેથી દર વર્ષે નવી પેદાશ કરવા માટે જોઈતી મૂડી કે ઉદ્યોગશક્તિ દેશમાંથી - ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને પરિણામે કરવેરે વધુ ને વધુ
કચરી નાખનારે” બનતો જાય છે.
ન હવે, આપણે, બીજા દેશના કરવેરા સાથે સરખામણી કરવાની સાચી રીત કઈ હોઈ શકે, તે મુદ્દા ઉપર આવીએ. દરેક પ્રજાને દર વર્ષે ખેતી, ખાણ, ઢોરઉછેર, હુન્નર ઉદ્યોગ, વેપાર વગેરે દ્વારા અમુક આવક થાય છે. એ કુલ આવકમાંથી તે પ્રજાને પિતાના જીવનની જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે. હવે, પ્રજા ઉપર કરવેરાનો કુલ બોજો કેટલો છે તે જાણવું હોય, તો તેને સીધે રસ્તો એ છે કે, સરકાર દેશની કુલ પેદાશમાંથી કેટલી રકમ દેશનું રાજતંત્ર ચલાવવા માટે પ્રજા પાસેથી દર વર્ષે માગે છે અને લે છે, તે નક્કી કરવું. તે રકમને કરવેરે કહે, મહેસૂલ કહે, કે બીજું કાંઈ કહો. હિંદુસ્તાનના દાખલામાં પણ સરકાર તે રકમ જમીનમહેસૂલ તરીકે લે છે, કે અફીણના વેરા તરીકે લે છે, કે બીજા કેઈ રૂપમાં લે છે, તે વસ્તુ અગત્યની નથી. કારણ, એ તો ઉઘાડું જ છે કે, તેટલી રકમ સરકારે પ્રજા પાસેથી લીધી ન હોત, તો તે પ્રજા પાસે જ રહી હોત, કે પ્રજાને જ મળી હોત. આ દષ્ટિએ આપણે ઈગ્લંડનો કરવેર તપાસીએ તો જણાશે કે, તે દેશની કુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org