SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ લકાને જ પાછો મળે છે; બીજા શબ્દોમાં કહીએ તો તે આખી રકમ દેશમાં જ ખર્ચાતી હોવાથી દેશમાં જ રહે છે. પરંતુ હિંદુસ્તાનની માથાદીઠ ૪૦ શિલિંગ જેટલી કંગાળ પિરાશમાંથી ૨૫,૦૦૦,૦૦૦ પાઉંડ તો દર વર્ષે હંમેશને માટે ખા દેશની બહાર જ તણાઈ જાય છે, જેથી દર વર્ષે નવી પેદાશ કરવા માટે જોઈતી મૂડી કે ઉદ્યોગશક્તિ દેશમાંથી - ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને પરિણામે કરવેરે વધુ ને વધુ કચરી નાખનારે” બનતો જાય છે. ન હવે, આપણે, બીજા દેશના કરવેરા સાથે સરખામણી કરવાની સાચી રીત કઈ હોઈ શકે, તે મુદ્દા ઉપર આવીએ. દરેક પ્રજાને દર વર્ષે ખેતી, ખાણ, ઢોરઉછેર, હુન્નર ઉદ્યોગ, વેપાર વગેરે દ્વારા અમુક આવક થાય છે. એ કુલ આવકમાંથી તે પ્રજાને પિતાના જીવનની જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે. હવે, પ્રજા ઉપર કરવેરાનો કુલ બોજો કેટલો છે તે જાણવું હોય, તો તેને સીધે રસ્તો એ છે કે, સરકાર દેશની કુલ પેદાશમાંથી કેટલી રકમ દેશનું રાજતંત્ર ચલાવવા માટે પ્રજા પાસેથી દર વર્ષે માગે છે અને લે છે, તે નક્કી કરવું. તે રકમને કરવેરે કહે, મહેસૂલ કહે, કે બીજું કાંઈ કહો. હિંદુસ્તાનના દાખલામાં પણ સરકાર તે રકમ જમીનમહેસૂલ તરીકે લે છે, કે અફીણના વેરા તરીકે લે છે, કે બીજા કેઈ રૂપમાં લે છે, તે વસ્તુ અગત્યની નથી. કારણ, એ તો ઉઘાડું જ છે કે, તેટલી રકમ સરકારે પ્રજા પાસેથી લીધી ન હોત, તો તે પ્રજા પાસે જ રહી હોત, કે પ્રજાને જ મળી હોત. આ દષ્ટિએ આપણે ઈગ્લંડનો કરવેર તપાસીએ તો જણાશે કે, તે દેશની કુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy