________________
કરવેરાને બે
૩૯ કરવેરા સાથે સરખાવે છે. જોકે, બીજા દેશોના કરવેરાની રકમમાંથી તેવી બાદબાકી તેમણે કરી છે કે કેમ, તે હું જાણતો નથી. પરંતુ તે મુદ્દા ઉપર આપણે પાછા ફરીથી આવીશું. મેચે સાહેબ જણાવે છે કે, હિંદુસ્તાન દર વર્ષે માથાદીઠ ૧ શિલિંગ ૧૦ પિન્સ જેટલો કરવેરે ભરે છે;
જ્યારે તુર્કસ્તાન છેશિલિંગ ૯ ;િ રુશિયા ૧ર શિલિંગ ૨ પેન્સ; પેન ૧૮ શિલિંગ ૫ પેન્સ; ટ્રિયા ૧૯ શિલિંગ ૭ પેન્સ અને ઈટાલી ૧૭ શિલિંગ જેટલો કરવેરો ભરે છે. એ ઉપરથી તે એવો નિર્ણય તારવે છે કે, હિંદુસ્તાનને કરવેરે “કચરી નાખે તે’ નથી. હવે, તેઓ સાહેબ કચરી નાખે તેવો' એ શબ્દનો શો અર્થ કરે છે, તે હું નથી જાણત; પરંતુ તે એક મુખ્ય વાત જ ભૂલી જાય છે ક, હિંદુસ્તાનની માથાદીઠ આવક જ મૂળે ૪૦ શિલિંગ છે; તથા તેટલામાંથી લોકોની જીવનનિર્વાહની ખાસ આવશ્યકતાઓ જ પૂરી પડી શકતી નથી; બીજી સુખસગવડે, કે ખરાબ વર્ષો માટે બચતની વાત તે પડતી જ મૂકીએ. પરિણામે, દુકાળનો સ્પર્શમાત્ર થતાં જ લાખો માણસો ભૂખે ટળવળતા મરી જાય છે. આ વસ્તુસ્થિતિ પતે જ ‘કરી નાખે તેવી’ નથી ? કે જેથી, તેટલી નામની આવકમાંથી પણ રસરકાર પરાણે જે રકમ કરવેરા તરીકે પડાવે છે, તે કચરી નાખે તેવી છે કે નહિ, તેની આવી ચર્ચા
આ ઉપરાંત એક બીજી અગત્યની વાત પણ મે સાહેબ ભૂલી જાય છે. તે એ કે, બીજા દેશોમાં કરવેરાની જે રકમ સરકાર ઉઘરાવે છે, તેનો અધ ભાગ બીજે રૂપે પછીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org