________________
હિંદુસ્તાનની ગરીબાઈ પાણીમાં ઉકાળેલા દાણની કાંજી કે થોડા મીઠા મરચાવાળા ભાત હોય છે. તેના ઘરનાં માટીનાં વાસણે આપણું ઇંગ્લંડમાં વપરાતી સારી જાતની છે અને નળિયાંથી પણ ઊતરતી જાતનાં હોય છે. એ વગ પાસે પિત્તળનાં વાસણ નથી જ હોતાં એમ તો ન કહેવાય; પણ તે બહુ વિરલ હોય છે. મજૂરવર્ગની દશા તો બધી બાબતમાં તેનાથી પણ ઘણી ખરાબ હોય છે. તેના ઝૂંપડાની તો કશી કિંમત જ હેતી નથી; અને કેળવણી કે શિક્ષણનું તો તેનામાં નામનિશાન જ હોતું નથી.”
વાયવ્ય પ્રાંત ઈ. સ. ૧૮૭૨ : કાનપુર જિલ્લાની આકારણીના અહેવાલમાં મિ. હેલસી જણાવે છે :
“એમ કહેવા માગું છું કે, આ જિલ્લાના સામાન્ય ખેડૂતની ગરીબાઈ નજરે ન જેનારને તો, કલ્પનામાં પણ આવી શકે તેમ નથી. એ તો જમીન, જમીનદાર, શાહુકાર અને સરકારને એક હલકામાં હલકા ગુલામ છે, એમ જ કહેવું જોઈએ. . . . મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે, પણ ભાગથી માંડીને ચાર-પંચમાંશ જેટલા ખેડૂતોની દશા મેં ઉપર જણાવી તેવી છે. ઘણાને મારું કહેવું અતિશયેક્તિભર્યું લાગશે; તેમ જ વસ્તુસ્થિતિ પણ એવી છે કે, તેના સમર્થનમાં આંકડાઓ પણ આપી શકાય તેમ નથી; છતાં, એ મારી નજરે જોયેલી વાત છે, એટલું તો નક્કી છે.”
મદાંતા - ઈ. સ. ૧૮૭૩ : મિ. પેડર જણાવે છે: “આ તરફ લિગભગ એવી સાર્વત્રિક માન્યતા છે કે, લોકોની સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org