________________
હિંદુસ્તાનની ગરીબાઈ તેઓ જરૂર પડશે લાભદાયક બાબતોમાં કે ખેતીને અંગે થોડા વખત માટે ગેર મૂક્વામાં વાપરી શકતા હતા. મને ખાતરી છે કે, તપાસ કરતાં જણાઈ આવશે કે, એ જરઝવેરાત તેમ જ ઢોરઢાંખર અને ઘરનાં વાસણો સુધ્ધાં હંમેશને માટે તેમના માલિકોએ સરકારે ભરવા ખાતર વેચી દીધાં છે. ગરીબાઈની આ દુ:ખજનક સાબિતી ઉપરાંત બીજી તેટલી જ સબળ સાબિતી, ખેડૂતવર્ગનાં ધાડાં ને ધાડાં નજીવી રોજીથી ગમે તે વૈતરું કરવા ઠેરઠેર રખડ્યા
ઉપરની કડવી ટીકા ઉપરાંત તે જ લેખક. દર વર્ષે હિંદુસ્તાનમાંથી ઇંગ્લંડ ઘસડાઈ જતા ધોધની બાબતમાં, ઈ. સ. ૧૮૪૫ના ફેબ્રુઆરીની ર૦મી તારીખે મળેલી પ્રેપ્રાયટર્સની એક સભાના ચેરમેનના શબ્દો નીચે પ્રમાણે ટાંકે છે“હિંદુસ્તાનમાંથી આપણા દેશમાં “હમ ચાર્જિસ' તરીકે દર વર્ષે ૩,૦૦૦,૦૦૦ પાઉંડની રકમ આવે છે. તેને વાર્ષિક ખંડણી જ ગણવી જોઈએ. તે ઉપરાંત હિંદુસ્તાનમાં અંગ્રેજોની વ્યક્તિગત ખાનગી કમાણીના રૂપમાં ધનને ધોધ ત્યાંથી દરરોજ આપણા દેશમાં ઠલવાયાં જ કરે છે.” આ વસ્તુ ઉપર ટીકા કરતાં મિ. મેરિયટ જણાવે છે કે : “દેશની સાધનસંપત્તિમાંથી દર વર્ષે આટલી મોટી રકમ ઘસડાઈ જવા છતાં, પિતાને ઘણું ગંભીર નુકસાન થવા દીધા વિના, કેઈ પણ દેશ એવા ધોધને સહન કરી શકે, એમ મનને મનાવવું ઘણું મુશ્કેલ છે.”
મિ. ગીબને ૧૪ વર્ષ બાદ ફરી ઈ. સ. ૧૮૪૦માં ન્યાયાધીશ તરીકે ગુજરાતમાં પાછા આવ્યા, ત્યારે તેમને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org