________________
હિંદુસ્તાનની ગરીબાઈ સ્વીકારવા ગમે તે હલકામાં હલકા દરજજાને અંગ્રેજ કબૂલ થવો જોઈએ. . . . ટૂંકમાં, હિંદુસ્તાનનું અંગ્રેજી રાજ્ય, વસ્તુતાએ, લોકો પાસેથી વધારેમાં વધારે પૈસા પડાવનારું તથા જોહુકમી રાજ્ય છે. તેનો જોટા હિંદુસ્તાનમાં પહેલાં કદી જોવામાં આવ્યો નથી. અંગ્રેજી રાજ્ય હેઠળ સરકાર કે પૈસાદાર વ્યક્તિઓ કશી જ મર્યાદા વિના ગમે તેટલો અન્યાય કરી શકે છે; તથા તેમની પાસેથી પિતાને કરવામાં આવેલી નુકસાનીનો બદલો મેળવવો કેઈ ને માટે લગભગ અશક્ય છે. પરિણામે, લેકે આપણને એટલી હદે ધિક્કારે છે કે, આપણને નમાવી શકે તેવી કોઈ પણ સત્તાને આવકાર આપવા તેમ જ તેને પક્ષમાં ભળી જવા તેઓ એકપગે તૈયાર છે. . . . હું વારંવાર ભારપૂર્વક કહેવા માગું છું કે, આપણે પરદેશીઓ છીએ, કે જુદા રંગના કે ધર્મના છીએ તેથી લોકો આપણને ધિક્કારે છે એવું જરા પણ નથી; આપણા પ્રત્યે લોકોની લાગણી આવી વિપરીત થઈ છે. તેને માટે આપણે આપણી જાતને જ ધન્યવાદ આપવો જોઈએ.”
મુંબઈ મિ. સેવિલ મેરિયટ, કે જે દક્ષિણ વિભાગના રેવન્યૂ કમિશ્નર હતા, તથા પછી ગવર્નરની કાઉંસિલના સભાસદ થયા હતા, તે ઈ. સ. ૧૮૩૬માં સર આર. ગ્રાન્ટને લખેલા પિતાના પત્રમાં જણાવે છે: “મારા અભિપ્રાય વ્યાવહારિક અનુભવ ઉપરથી બંધાયેલા છે, અને માત્ર પુસ્તકિયા અનુમાન નથી, એ તો તમે કબૂલ કરશે જ. ગયાં ઘણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org