________________
હિંદુસ્તાનની ગરીબાઈ ચડાવે છે, તે પેટે દેશમાં કશું જ પાછું ન આવવાનું હોવાથી, પહેલાં જેટલું વળતર દેશને કદી મળવાનું જ નથી.”
ઈ. સ. ૧૭૯૦માં લોર્ડ કોર્નવોલિસ જણાવે છે: યુરોપમાં દર વર્ષે મોકલવામાં આવતી મેટી રકમ. કલકત્તાની તિજોરીને મદદ તરીકે આપવામાં આવતી રકમ, બીજા ઇલાકાઓની જરૂરિયાતો પૂરી પાડવા મેકલવામાં આવતી રકમ, તેમ જ બીજા અંગ્રેજો દ્વારા દર વર્ષે ઈગ્લેંડ મોકલવામાં આવતી બચત કે નફાની રકમ– એ બધું મળીને દર વર્ષે બંગાળમાંથી જે મેટી રકમ બહાર ઘસડાઈ જાય છે. તેની માઠી અસર ગયાં ઘણાં વર્ષોથી જણાવા લાગી છે, અને હાલમાં તો તે અતિ તીવ્ર બની ગઈ છે. પ્રાંતમાંથી ચલણું નાણું છેક જ ઘટી જવાને લીધે ખેતી તેમ જ સામાન્ય વેપારઉદ્યોગમાં ભારે મંદી આવી ગઈ છે.”
ઈ. સ. ૧૮૩૭માં મિ. એફ. જે. શેર જણાવે છે : હિંદુસ્તાનના સુખના દહાડા પૂરા થયા છે. પહેલાં તેની પાસે જે પૈસો હતો, તેમાંથી મોટા ભાગ પરદેશ ઘસડી જવામાં આવ્યો છે, અને તેના વિવિધ કળાકૌશલ્યને હીન. અને સ્વાર્થી તંત્ર હેઠળ કચરી નાખવામાં આવ્યું છે.”
વળી તે જણાવે છે: “આજે હુન્નર અને વિજ્ઞાનમાં હિંદીઓ આપણાથી પછાત પડી ગયા છે; તેથી એમ માનવું કે, સંજોગે અનુકૂળ હોવા છતાં તેઓ એવી પ્રગતિ કરી શકે તેમ નથી, એ તેમને અન્યાય કરવા જેવું છે. . . . વળી એવી ફરિયાદ વારંવાર કરવામાં આવે છે કે, “કાંઈ પણ નજીવું કરવાનું હોય છે તો તેને માટે કે સરકારને અરજી કરે છે, ભલે પછી તે એકાદ નાને રસ્તો હોય, નિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org