SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનને આર્થિક સ્ત્રાવ : ૨ દર વર્ષે જ્યાં દેશની ધનસંપત્તિમાંથી આટલી મોટી રકમ * હંમેશને માટે પરદેશ ઘસડાઈ જતી હોય, ત્યાં દેશના લોકોની અને તેના વેપારરોજગારની શી દશા થાય તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. પરંતુ, હું નીચે દરેક ઇલાકા દીઠ જુદા જુદા સરકારી અમલદારના જ શબ્દો ટાંકીશ. . બંગાળ ઈ. સ. ૧૭૮૭માં સર જોન શોર લખે છે: “પહેલાંને દતિહાસ તપાસતાં જણાય છે કે, હિંદુસ્તાનના ઉત્તરના ભાગે, મેરેને અખાત, ઈરાની અખાત અને મલબાર કિનારા સાથે બંગાળ પ્રાંતનો ઘણે માટે વેપાર ચાલતો હતો; તથા તેને પરિણામે પ્રાંતમાં માલ તેમ જ રેકડની વર્ષોવર્ષ મેટી આવક થતી હતી. પરંતુ, ઈ. સ. ૧૭૬૫થી માંડીને બધું બદલાઈ ગયું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રાંતનો બધો વેપાર પિતાના. હાથમાં લઈ લીધું છે. તે વેપારમાંથી પૂરતું વળતર લોકોને પાછું મળવાને બદલે, તેનો બધે ભાગ ઈંગ્લેંડ જ ઘસડાઈ જાય છે. રોકડ તો નજીવા પ્રમાણમાં જ હવે બહારના ભાગમાંથી આવે છે. દેશને આંતરિક વેપાર ફરી ચાલતો થાય એવું માની લઈએ તો પણ, કંપની દેશની જે પેદાશ પરદેશ • ઈ. સ. ૧૮૯૮માં “ઇંડિયન કરન્સી કમિશન” આગળ રજૂ, કરેલા નિવેદનમાં લેખકે ઈ. સ. ૧૮૯૨-૩ થી ઈ. સ. ૧૮૯૬-૭ સુધીનાં પાંચ વર્ષ દરમ્યાન તે રીતે દેશમાંથી ઘડાયેલી કુલ રકમ બે અબજ રૂપિયા જેટલી જણાવી છે; એટલે કે વર્ષે તમારા તેનું પ્રમાણ ૪૦ કરોડ રૂપિયા થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy