________________
હિંદુસ્તાનને આર્થિક સ્ત્રાવ રછ હવે, આ પગારની રકમમાંથી યુરોપિયન પિતાના હિંદી નોકરને પગાર તરીકે કાંઈક આપતા હશે; તથા બરાકી વગેરેની થોડીક ચીજો દેશમાંથી ખરીદતા હશે. આ પ્રમાણે તેઓ પિતાના પગારની રકમનો અર્ધો ભાગ હિંદુસ્તાનમાં જ ખચી નાખે છે એમ માનીએ તો પણ આશરે ૫ કરોડ. રૂપિયા તેઓ ચાખા ઈંગ્લંડ લઈ જાય છે. ઉપરની ૨૦ કરોડની રકમમાં આ રકમ ઉમેરતાં કુલ ૨૫ કરોડ. રૂપિયા દેશમાંથી દર વર્ષે ગ્લંડ ઘસડાય છે એમ કહેવું જોઈએ. એટલે હિંદુસ્તાનના કહેવાતા દેવાનું મુખ્ય કારણ શું છે, તે હવે સમજાશે. લાંબા સમયથી દર વર્ષે પરદેશ ઘસડાતા આ રૂપિયા દેશમાં જ રહ્યા હોત, તો વ્યાજ સાથે કેટલી માટી મૂડી દેશમાં ભેગી થઈ હતી અને તેમાંથી કેટલાય હજાર માઈલની રેલવે તો શું, પણ બીજાંચ કટલાં જાહેર બાંધકામે ઇંગ્લેંડ પાસેથી નાણાં ઉછીનાં લીધા વિના જ ઉપાડી શકાયાં હોત, તથા દેશની સુવ્યવસ્થા અને પ્રગતિનું બધું ખર્ચ સહેલાઈથી પૂરું પાડી શકાયું હોત. એ દર વર્ષે ચાલતી મોટી લૂંટ વડે ભેગી થયેલી મૂડીમાંથી જ ઇંગ્લંડ પાછું હિંસ્તાનને લોન તરીકે નાણું ધરે છે, તેમ જ બ્રિટિશ મૂડી” તરીકે ઓળખાતી મૂડીથી દેશની જમીન. વેપારહુનર અને ઉદ્યોગોને કબજે લઈ તેમાંથી પાછો મટે નફા પડાવી જાય છે. અરે ! એ પરદેશ મૂડીદારે એટલેથી ધરાતા નથી. તેમને તે દેશની ચાલુ મહેસૂલના પૈસામાંથી જ મૂડી મેળવીને વેપાર કરે છે. તેથી તેઓએ બૂમાબૂમ કરી મૂકી છે કે, સરકાર પોતાનાં નાણાં સરકારી તિજોરીમાં નાંખી મૂકવાને બદલે પ્રેસિડન્સી બેંકોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org