________________
હિંદુસ્તાનની ગરીબાઈ - હવે બ્લડ રહેલી આ રકમને “વેપારનો તફાવત” કહેવો એ તો જુઠ્ઠાણું જ છે. કારણ કે, એ રકમ તો. ગોરા અમલદારેએ અને ગેરા વેપારીઓએ હિંદુસ્તાનમાંથી પિતાને દેશ મોકલેલી “કમાણી” જ છે. વળી, આ લૂંટના સમર્થનમાં ‘હિંદુસ્તાનની દેવાદાર સ્થિતિની’ દલીલ વારંવાર કરવામાં આવે છે. પરંતુ એ સ્થિતિ કેવી રીતે ઊપજી છે, તેની જરા તપાસ કરીએ. ઈ. સ. ૧૮૯૬–૭ ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે “હેમચાર્જિસ” તરીકે હિંદુસ્તાન દર વર્ષે ઇગ્લેંડને ૨૦ કરોડ રૂપિયા ભરે છે. એટલા રૂપિયા હિંદુસ્તાન પાસેથી તો દર વર્ષે હમેશને માટે ઓછી થાય છે અને એટલા ઇંગ્લંડની મૂડીમાં વધે છે. એ ઉપરાંત દર વર્ષે અંગ્રેજ અમલદારને ૯૪,૬૭૯,૬ર૭ રૂપિયા એટલે કે લગભગ દશ કરોડ રૂપિયા પગાર પેટે હિંદુસ્તાન આપે છે.*
ઉપર માત્ર ૧૦ ટકા ન ગણીએ તે પણ નિકાસની રકમ ઉપરાંત ૨૮૫,૦૦૦,૦૦૦ પાઉંડ નફાના દેશમાં વધારે આવવા જોઈતા હતા. તેને બદલે નિકાસ કરતાં જ પર૬,૭૪૦,૦૦૦ પાઉંડ ઓછા આવ્યા. એટલે કે, કુલ ખાધ ૮૧૧,૭૪૦,૦૦૦ પાઉંડની થઈ. પરંતુ, દેશી રાજ્યોએ તે પોતાની નિકાસ તેમ જ તે ઉપર મટે નફો. મેળવ્યાં જ હતાં; એટલે બ્રિટિશ હિંદુસ્તાનના કેટલા પૈસા પરદેશ ઘસડાયા છે, તેને ખ્યાલ આવશે.
• આ રકમમાં અંગ્રેજ લશ્કરને જે પગાર આપવામાં આવે છે તેનો સમાવેશ નથી થતોએટલે તે રકમ તેમાં ઉમેરવી. જોઈએ; તથા યુરોપિયનોને ગેરકાયદેસર રીતે છૂંડિયામણના વળતર તરીકે જે બદલો આપવામાં આવે છે, તે પણ ઉમેરો જોઈએ. પરંતુ તેના આંકડા આપણી પાસે નથી એટલે દશ કરોડ. રૂપિયાની રકમને જ વળગી રહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org