SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ હિંદુસ્તાનને આર્થિક સ્રાવતેટલી કિંમતની આયાત ઉપરાંત નફે દેશમાં પાછાં વળે છે. - હવે હિંદુસ્તાનની આ બાબતમાં શી દશા છે તે જોઈએ. ઈ.સ. ૧૮૩૫થી ઈ. સ. ૧૮૭૨ સુધીની હિંદુસ્તાનની કુલ નિકાસ ૧,૧૨૦,૦૦૦,૦૦૦ પાઉંડની છે; અને તેટલાં વષો દરમ્યાનની કુલ આયાત ૯૪૩,૦૦૦,૦૦૦ પાઉંડની છે. સામાન્ય રીતે વેપારમાં ૧૫ ટકા નફો તો હોય જ એમ ગણીએ, તો વાસ્તવિક રીતે હિંદુસ્તાનની આયાત ૧,૨૮૮,૦૮ ૦,૦૦૦ પાઉંડ થવી જોઈએ. હિંદુસ્તાનમાં તે અરસામાં ૧૫૦,૦૦૦,૦૦૦ પાઉંડ લોન તરીકે પરદેશથી આવ્યા છે. એટલે વાસ્તવિક રીતે હિંદુસ્તાનમાં કુલ ૧,૪૩૦,૦૦૦૦૦૦ પાઉંડ પાછા આવવા જોઈતા હતા. તેને બદલે ૯૪૩,૦૦૦,૦૦૦ પાઉંડ જ આવ્યા. તેનો અર્થ એ થયો કે, હિંદુસ્તાનમાંથી ૫૦૦,૦૦૦,૦૦૦ પાઉંડ ઇંગ્લંડમાં જ રહ્યા; અર્થાત ઈગ્લેંડે તેટલી રકમ હિંદુસ્તાનમાંથી પડાવી. આ ગણતરીમાં વર્ષોવર્ષ ચડતા વ્યાજની રકમનો તો સમાવેશ નથી જ થતો.* * આમની સભામાં ભાષણ આપતી વખતે સ્વ. દાદાભાઈએ એ જ આંકડા પછીનાં ઈ. સ. ૧૮૮૩ થી ઈ. સ. ૧૮૯૨ સુધીનાં દશ વર્ષ માટે આ પ્રમાણે આપ્યા છે: ઇંગ્લંડની નિકાસ કરતાં આયાત તે દશ વર્ષમાં ૩૨ ટકા વધારે હતી; નોર્વેની ૪૨ ટકા; સ્વીડનની ૨૪ ટકા; ડેન્માર્કની ૪૦ ટકા; હોલેન્ડની ૨૨ ટકા, તથા ડાન્સની અને સ્વીટ્ઝરલેંડની ૨૮ ટકા. ' * વેલબી કમિશન આગળ લેખકે ઈ. સ. ૧૮૪૮–૧૦ થી ૧૮૯૪-૫ સુધીનાં ૪૫ વર્ષ માટે તે જ આંકડા સરકારી સ્ટેટીસ્ટીકલ ઍસ્ટ્રેકટ – ૧૮૫માંથી નીચે પ્રમાણે જણાવ્યા છે : હિંદુસ્તાનની કુલ નિકાસ ૨,૮૫૧,૦૦૦,૦૦૦ પાઉંડની હતી. તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy