SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ દેશને તેના વેપારમાં તેટલો નફો રહે છે, અથવા તો બીજા રાજકીય કારણથી તેને ખંડણી પેટે કે બીજી કોઈ રીતે તેટલી આવક મળે છે. ઈગ્લેંડના ઈ. સ. ૧૮૫૮ થી ૧૮૭૦ સુધીને આયાતનિકાસના આંકડા નીચે પ્રમાણે છે : આયાત નિકાસ પાઉંડ ૩,૬૦૮,૨૧૬,૨૪ર (સનુંરૂપે ગણતાં) પાઉંડ ૨,૮૭૫,૦૨૭,૩૦૧ (સોનુંરૂપે ગણતાં એટલે કે, નિકાસ કરતાં આયાત છ૩૭,૧૮૮,૯૪૧ પાઉડ અથવા તો રપ ટકા જેટલી વધારે છે. પરંતુ તે નિકાસના આંકડામાં હિંદુસ્તાનને લોન તરીકે આપેલા, ૧૨૫,૦૦૦,૦૦૦ પાઉંડને સમાવેશ થાય છે; તથા આયાતના આંકડામાં તે લોન પેટે વ્યાજના ભળેલા ૬૦,૦૦૦,૦૦૦ પાઉંડનો સમાવેશ થાય છે. ઉપરાંત, ઇંગ્લંડ એ સૌથી મોટો ધીરનારો દેશ છે. એટલે વાસ્તવિક રીતે તેની માત્ર વેપારને લગતી નિકાસ કરતાં વેપારને લગતી આયાતનો આંકડો ૨૫ ટકાથી વધારે હશે પણ એાછો નહિબ્રિટિશ ઉત્તર અમેરિકાની નિકાસ કરતાં આયાત ૨૯ ટકા વધારે છે; અને ઓસ્ટ્રેલિયાની ૧૫ ટકા વધારે છે. એ આંકડાઓમાં પણ લોન તરીકે આણેલી કે આપેલી રકમે અને તેના વ્યાજનો સમાવેશ થતો હોવાથી. માત્ર વ્યાપારી નફો તે કરતાં જુદો જ હશે, એ ધ્યાનમાં રાખવાનું છે. પરંતુ એટલું તો નક્કી કે, કોઈ પણ દેશના પરદેશ સાથેના વેપારમાં સામાન્ય વસ્તુસ્થિતિ એ હોય છે. કે, દેશ જેટલી કિંમતનો માલ પરદેશ ચડાવે છે, તેના બદલામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy