________________
હિંદુસ્તાનના આર્થિક સ્રાવ
શરૂઆતમાં મેં જણાવ્યું હતું કે, હિંદુસ્તાનની કગાલિયતનું મુખ્ય કારણ અંગ્રેજોનું પરદેશી રાજ્ય અને તેમના દ્વારા દેશમાંથી બહાર ધસડાતી સંપત્તિ છે. આ પ્રકરણમાં હું તેની સાબિતીમાં થેડીક બાબતો રજૂ કરવાને છું. કાઈ પણ દેશમાંથી પરદેશ કેટલા પૈસા ઘસડાઈ જાય છે. તે નક્કી કરવાનું મુખ્ય સાધન, તે દેશની આયાત અને નિકાસના આંકડા છે. દેશમાંથી દર વર્ષે જેટલી કિંમતના માલ કે નાણું પરદેશ ચડતાં હોય, તેટલી કિંમતને માલ કે નાણું દેશમાં પાછાં કરતાં ન હોય, તા તેટલી કિંમતને માલ કે નાણું પરદેશ ઘસડાઈ જાય છે એમ માનવું જોઈએ, તેથી ઊલટું, દેશમાંથી જેટલી કિંમતના માલ કે નાણું પરદેશ જતાં હોય, તેના કરતાં વધારે કિંમતને! માલ કે નાણું દેશમાં દર વરસે આયાત થતાં હોય, તે એમ માનવું જ જોઈએ કે, કાં તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org