________________
હિંદુસ્તાનની ગરીબાઈ માહિતી મને ન મળી શકી, તેને માટે મેં ઈડિયા ઓફિસ પાસે માગણી કરી. પરંતુ, તેમણે સ્વાભાવિક રીતે જ જવાબ આપ્યો કે, જે માહિતી તેમને હિંદુસ્તાનમાંથી જ નથી મળી, તે તેઓ આપી શકે તેમ નથી. આથી ભારે મારી ગણતરીએ ઘણું મુશ્કેલીઓ વચ્ચે તૈયાર કરવી પડી છે. વળી જે માહિતી જુદા જુદા પ્રાંતની સરકાર આપે છે, તે પણ ખેતી હોય છે. તેને એક જ દાખલો આપું. મધ્યપ્રાંતોની સરકારે અનાજના ભાવોની સરેરાશ કાઢવા માટે જુદા જુદા જિલ્લાઓના ભાવ એકઠા કરી, તેમને જિલ્લાઓની સંખ્યા વડે ભાગી નાખ્યા છે. પરંતુ દરેક જિલ્લામાં કેટલો પાક થયો હતો, અને તે પાકનો ભાવ કેટલો હતો તે બાબતને ગણતરીમાં લીધી જ નથી. ઉપરાંત એકરદીઠ પેદાશની સરેરાશ કાઢતી વખતે પણ કેટલી કેટલી જમીનમાં કેટલો કેટલો પાક થાય છે તે બાબત પણ ગણતરીમાં લીધી નથી. આવી રીતે તૈયાર કરેલી ગણતરીઓ ઉપર રચેલી બધી દલીલ અને બાંધેલા નિર્ણ બેટા જ હોય એમાં નવાઈ નથી. દાખલા તરીકે, ઈ. સ. ૧૮૬ ૭–૮ના મધ્યપ્રાંતોના અહેવાલમાં ચોખાનો સરેરાશ ભાવ મણના રૂ. ૨–૧૨–૭ પાઈ જણાવ્યું છે. પરંતુ, મેં ઉપર જણાવેલી રીતે બરાબર ગણતરી કરી જોઈ તો તેની સરેરાશ મણનો દોઢ રૂપિયે જ આવી ! આવી ગણતરીઓ ઉપરથી તારવેલા નિર્ણની શી કિંમત છે, તે હવે સમજી શકાશે. હિંદુસ્તાનમાં આટલાં આટલાં મેટાં અને ખર્ચાળ સરકારી ખાતાં હેવા છતાં પૂરતી કે સાચી માહિતી ન મળે, એ સાચે જ દયાજનક સ્થિતિ છે. આવી અગત્યની બાબતમાં ‘હું ધારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org