________________
હિંદુસ્તાનની ગરીબાઈ તે પણ તેનાથી હું પોતે જ સૌથી વધારે રાજી થઈશ. કારણ કે ત્યારે પણ મેં મારી ફરજ અદા કરી હશે અને રાજકર્તાઓ વિષે એક ગંભીર પ્રકારની ખોટી લાગણ મારા તેમ જ બીજાઓના મનમાંથી દૂર કરી હશે.
ઈ. સ. ૧૮૭૦ના જુલાઈ માસમાં “ઈસ્ટ ઇન્ડિયા એસોસિયેશન' આગળ રજૂ કરેલા ‘હિંદુસ્તાનની જરૂરિયાતો અને તેનાં સાધન' નામના નિબંધમાં મેં એક જાડો અંદાજ તારવ્યો હતો અને જણાવ્યું હતું કે, હિંદુસ્તાનના લોકોની વાર્ષિક પેદાશ માથાદીઠ ૨૭ શિલિંગની છે. પછીથી અમુક ગણતરીઓમાં વધારે કરીને, મેં માથાદીઠ વાર્ષિક પેદાશ ૪૦ શિલિંગની જણાવી હતી. ત્યાર બાદ મેં બને તેટલા વધુ સરકારી આંકડાઓ મેળવીને એ ગણતરી વધુ ચેકસ કરવાને પ્રયત્ન કર્યો છે. આ પ્રકરણમાં હું તે જ વસ્તુ રજૂ કરું છું.
હિંદી સરકારને દર વર્ષે હિંદુસ્તાનની આર્થિક અને નૈતિક પ્રગતિ અહેવાલ બ્રિટિશ પાર્લામેન્ટ આગળ રજૂ કરવા પડે છે. તેને માટે જોઈતા આંકડા એકઠા કરવા કલકત્તામાં એક કમિટી નીમવામાં આવી છે. આ કમિટીએ અમુક પ્રકારનાં પત્રકો તૈયાર કરી દરેક ઇલાકાની સરકારને તેમાં જણાવેલી વિગતે ભરી મેકલવા માટે મોકલ્યાં હોય છે. પરંતુ, મધ્યપ્રાંતિ અને બ્રહ્મદેશ એ બે પ્રાંતો સિવાય કોઈ પ્રાંતનાં પત્રકે પૂરેપૂરાં ભરેલાં હતાં નથી. મદ્રાસ, વાયવ્ય પ્રાંત, પંજાબ અને અયોધ્યાનાં પત્રકો અધૂરાં જ હોય છે. બંગાળ અને મુંબઈ એ બે પ્રાંતો તો ઈ. સ. ૧૮૬૯–૧૭૦ સુધી કશું જ ભરી મોકલતા નહિ. એ અહેવાલોમાંથી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org