SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ હિંદુસ્તાનની ગરીઆઈ તેમની પૂરી જવાબદારીનું ભાન કરાવવામાં આવે તો હિંદને લાભ થાય. આથી એમણે શ્રી. વ્યામેશચંદ્ર મેનરજીની સાથે મળીને લંડન ઇન્ડિયન સેાસાયટીની સ્થાપના કરી. અને ત્યાર પછી અંગ્રેજો પણ ભાગ લઈ શકે એટલા માટે એમણે ઇસ્ટ ઇંડિયા ઍસેસિયેશન નામની વિશાળ સંસ્થા સ્થાપી અને હિંદી રાજામહારાજાએ પાસેથી નાણાં મેળવી તેને સધ્ધર બનાવી. આ સંસ્થાએ તે જમાનામાં હિંદની રાજકીય અને આર્થિક પરિસ્થિતિ વિષે સારી માહિતી ફેલાવવાનું કામ સારી રીતે અજાવ્યું હતું. કેટલાક વાનપ્રસ્થ ગવ। અને હિંદ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર અમલદારે એ મંડળ આગળ જુદા જુદા વિષયેા ઉપર નિબધા અને વ્યાખ્યાતા વાંચતા હતા. આ ઉપરાંત, દાદાભાઈ ઇંગ્લેંડનાં જુદાં જુદાં શહેરામાં જઈને વ્યાખ્યાના આપતા, અનેક છાપાંઓમાં લેખે લખતા અને હિંદુ વિષે સાચી માહિતી ફેલાવી અંગ્રેજ પ્રજાની સહાનુભૂતિ મેળવતા. જે પેઢીના ભાગીદાર તરીકે એએ વિલાયત ગયા હતા, તે કામાની પેઢીમાંથી પાતે ૧૮૬૨માં છૂટા થયા હતા, અને સ્વતંત્ર ધંધા કરવા લાગ્યા હતા. ઈ. સ. ૧૮૬૬માં એક પારસી વેપારીને મદદ કરવા જતાં એએ ભારે આર્થિક આફતમાં આવી પડ્યા. પણ એમની પ્રમાણિકતાએ એમના લેણદારા ધીરજ ખમી ગયા અને ભીન્ન મિત્રાએ નાણાં ધીયાં. એટલે થેડા વખતમાં એમની મુશ્કેલી ટળી ગઈ અને ઈ. સ. ૧૮૬૯માં તેઓ પાછા મુંબઈ આવ્યા. વિલાયતમાં એમણે હિંદની જે કામતી સેવા બજાવી હતી, તે વિષે આભારની લાગણી દર્શાવવા મુંબઈમાં દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy