________________
સ્વ. દાદાભાઈનું જીવનચરિત્ર વર્ગના પ્રતિનિધિઓની એક જંગી સભા મળી હતી; અને તેમાં દાદાભાઈને માનપત્ર અને રૂા. ૩૦,૦૦૦ ની થેલી અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ નાણુને એમણે જાહેર કાર્યમાં ઉપયોગ કર્યો. એમનું ચિત્ર ખુલ્લું મૂકવા માટે જે ફાળ ભેગું કરવામાં આવ્યો હતો, તેમાંથી તૈયાર કરાવેલું ચિત્ર છેક ઈ. સ. ૧૯૦૦ માં ન્યાયમૂર્તિ રાનડેને હાથે ખુલ્લું મુકાયું હતું
દાદાભાઈ હિંદુસ્તાનમાં રહ્યા તે દરમિયાન તેમણે અહીંની પ્રજાને પિતાને હંકાનું ભાન થાય અને તે બંધારણ પુર:સર લડત ચલાવે એ માટે તેમણે દેશમાં ઠેરઠેર ફરીને વ્યાખ્યાનની ઝડી વરસાવી અને આવી કજાગૃતિ કાયમ રહે માટે એકાદ રાજકીય સંસ્થા હોય તો સારું એમ માની ઈ. સ. ૧૮૬૯માં એમણે મુંબઈમાં ઈસ્ટ ઈન્ડિયા એસોસિયેશનની શાખા સ્થાપી, અને ફરી વિલાયતનો માર્ગ લીધો.
ઈ. સ. ૧૮૭૩માં પાર્લમેંટે હિંદના જમા-ખર્ચની સ્થિતિની તપાસ કરવા એક સમિતિ નીમી હતી. તેના પ્રમુખ મિ. કૅસેટ હતા. એટલે એ સમિતિ ફેસેટ કમિટીને નામે પ્રસિદ્ધ થઈ. એ સમિતિ આગળ જુબાની આપતાં દાદાભાઈએ હિંદની પારાવાર ગરીબાઈનો સાચે ખ્યાલ આપ્યો અને જણાવ્યું કે બ્રિટિશ હિંદમાં માથાદીઠ વાર્ષિક આવક ફક્ત રૂપિયા વીસની જ છે, અને છતાં ત્યાં માથાદીઠ વાર્ષિક કર રૂપિયા ત્રણ ભરવાનો હોય છે. આ વસ્તુ રજૂ થતાંની સાથે જ એંગ્લો ઇન્ડિયન છાપાંઓ અને સરકારી અમલદારો તૂટી પડ્યા અને એને ખેાટી રાવવા જીવતોડ પ્રયત્ન કરવા લાગ્યા. દાદાભાઈએ એ બધાને ઢગલાબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org