SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. હિંદુસ્તાનની ગરીબાઈ પ્રથમ હાંકી કાઢયા વિના તેમને તેમના દેશના રાજતંત્રમાં કાંઈ જ ભાગ કે હિસ્સો મેળવવાની તક કદી મળવાની નથી, એમાં ડહાપણ શું છે તે જ મને સમજાતું નથી.” અને છતાં, ઈ. સ. ૧૮૩૩માં પાર્લમેન્ટે જ્યારે હિંદીઓને ધર્મ, જન્મસ્થાન, જાતિ કે તે બધાંને કારણે કોઈ પણ નોકરી કે પદવીમાંથી બાતલ નહીં રાખવાનો ઠરાવ કર્યો, ત્યારે હિંદી સરકારે તેનો અમલ, લોર્ડ લીટનના શબ્દોમાં, ‘તેનો અમલ ન કરવા પંડે તેવા ઉપાયો યોજીને’ જ કર્યો. તેમણે ઉપરાંતમાં ઉમેર્યું છે , “ આપણે કાં તે હિંદીઓને નોકરીઓમાં લેવાની મના કરવી જોઈએ, અથવા તો તેમને છેતરવા જોઈએ. આપણે તે બેમાંથી એાછામાં ઓછા પ્રમાણિક એવો બીજો ભાર્ગ જ લીધો . . . . ઇંગ્લંડની તેમ જ હિંદી સરકારની ઉપર કાઈ એવો આરોપ મૂકે, કે તેમણે કાનને સંભળાવવા જે વચનો ઉચ્ચાર્યા હતાં, તેમને ભંગ કરવા માટે શક્ય તેટલા તમામ ઉપાયો લીધા છે, તો તેનો તેઓ આજ સુધી કશો જ જવાબ આપી શકે તેમ નથી.” ભારે આ પુસ્તક લખવાને હેતુ અંગ્રેજ લોકોના મન ઉપર એક જ વાત ઠસાવવાનો છે કે, અત્યારના અપ્રમાણિક અને સગૃહસ્થને ન છાજે તેવા ગેર-અંગ્રેજી રાજતંત્રથી હિન્દુસ્તાનના સામ્રાજ્યના ભૂકા ઉરાડી મૂકવાને બદલે, જે તેઓ પિતાનું કર્તવ્યભાન જાગૃત કરી, પોતે આપેલાં ગંભીર વચનોને પ્રમાણિક અને ખરા દિલથી અમલ કરે, તે અત્યારે કલ્પી પણ ન શકાય તેટલું મહાન અને ઉજજવળ ભાવી બ્રિટન તેમ જ હિન્દુસ્તાન બંનેને માટે નિયું છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy