________________
૧૦૮ હિંદુસ્તાનની ગરીબાઈ વાર્ષિક મહેસૂલ ૧૦૩ લાખથી વધીને હવે ૧૮ લાખની થઈ હતી –એટલે કે તેમાં ૭૫.૨૪ ટકાનો વધારો થયો હતો; અને લોકોપયોગી બધાં ખાતાંમાં બહાળે હાથે ખર્ચ કરવામાં આવતું હોવા છતાં ૩૦Ş લાખ રૂપિયાના દેવાને બદલે રાજ્ય પાસે ૧૭૬ લાખની અસક્યામત હતી.
રમાન લ ને ચા માર્ગ પર કારમાં આવેલ
રાજ્યની મહેસૂલમાંથી ઉપરના ચાલુ ખર્ચ ઉપરાંત બ્રિટિશ સરકારને દર વર્ષે ૨,૫૦૦,૦૦૦ રૂપિયા ભરણું ભરવું પડ્યું હતું; જેની કુલ રકમ મહારાજાના અમલમાં ૧૫ વર્ષ દરમ્યાન કુલ ૩૭,૦૦૦,૦૦૦ રૂપિયા થઈ હતી. તે ઉપરાંત તે વર્ષો દરમ્યાન ચાલુ મહેસૂલમાંથી જ ૧૮,૦૦૦,૦૦૦ રૂપિયા મહારાજાના અંગત ખર્ચ પેટે લેવામાં આવ્યા હતા. અને આ બધું તો દરેક ખાતામાં વધારવામાં આવેલા ખર્ચ ઉપરાંત હતું. મહારાજાના રાજ્યારોહણ વખતે આખું તંત્ર છેક જ કેન્દ્રિત હતું. દીવાન જ બધાં ખાતાને સીધો જવાબદાર હતો. પરંતુ જેમ જેમ આવક વધતી ગઈ, તેમ તેમ જુદાં જુદાં ખાતાં અલગ પાડવામાં આવ્યાં, અને તે દરેકનો જુદો પ્રધાન નીમવામાં આવ્યો. જંગલ અને પોલીસખાતાના પ્રધાનો ઈ. સ. ૧૮૮પમાં નિયુક્ત કરવામાં આવ્યા, આબકારી માટે ઈ. સ. ૧૮૮૯માં, મુજઈ માટે ઈ. સ. ૧૮૯૧માં અને ખાણે માટે ઈ. સ. ૧૮૯૪માં. લોકલ તેમ જ
મ્યુનિસિપલ ફંડમાં, ધારાખાતામાં, કેળવણીખાતામાં એમ બધાં ખાતાંમાં સુધારા કરવામાં આવ્યા. અને બ્રિટિશ હિંદુસ્તાનના નાણાંપ્રધાનને દર વર્ષે દૂડિયામણના દરની વધઘટ, 'કચરી નાખતો કરવેરે વગેરે વિષે જે રોદણું કરવાં પડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org