________________
- ઉપાય તે મૈસુર રાજ્યમાંથી હંમેશને માટે દૂર થયાં. અને આ બધાં સારાં પરિણામે, તે વર્ષ દરમ્યાન વસ્તીમાં ૧૮.૩૪ ટકા વધારે થવા છતાં થયાં હતાં અને તે ૧૪ વર્ષો દરમ્યાન મરણપ્રમાણ હજારે ૬.૭ જેટલું ઘટી ગયું હતું.
પરંતુ આ બધામાં ખાસ અગત્યની વાત તો હજુ હવે આવે છે અને તે એ કે, આ બધી નાણાંકીય સમૃદ્ધિ કાઈ પણ રૂપમાં નવા કરવેરા નાખ્યા વિના જ સાધવામાં આવી હતી. પરંતુ બ્રિટિશ હિંદુસ્તાનમાં તો અત્યારની વ્યવસ્થા હેઠળ ગ્લૅડસ્ટન પોતે આવીને વહીવટ હાથમાં લે, તો પણ આવાં પરિણામે તો માથું ફોડતાંય ન જ લાવી શકે. ઉપરાંત મૈસુરમાં તો દેશી વહીવટની હજુ શરૂઆત જ છે એમ કહી શકાય. ભવિષ્યમાં દેશી અમલદારે હેઠળ તને વિકસવાની અત્યાર જેવી છૂટ કાયમ રાખવામાં આવે, તો પ્રગતિ માટે તેનું ભાવિ કેટલું વિશાળ છે. એ કલ્પનામાં લાવતાં દિંગ થઈ જવાય છે. - લોર્ડ ઈસ્લે તો હવે આ દુનિયામાં નથી. પરંતુ તેમનું નામ હિંદુસ્તાનમાં કદી નહીં ભુલાય. તે જીવતા હોત, તે તેમણે હિંમતભેર લીધેલા પગલાનાં આ સુપરિણામે જોઈ ને તે કેટલા રાજી થયા હેત !
આમ, લેર્ડ એલીસબરીએ અને ઈસ્લેએ હિંદુસ્તાનમાં બ્રિટિશ હકૂમતની દઢતાને અને હિંદુસ્તાનની આબાદીના કૂટ પ્રશ્નને આ પ્રમાણે સફળતાપૂર્વક ઉકેલ કરી બતાવ્યો છે. “સારી રાજવ્યવસ્થાવાળાં સંખ્યાબંધ દેશી રાજ્યો” બ્રિટન તેમ જ હિંદુસ્તાન બંનેને માટે આશીર્વાદરૂપ નીવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org