________________
ઉપાય
૧૫ આપણું કલ્પનામાં આવવી લગભગ અશક્ય છે. તે વ્યવસ્થાને જાડાપણને લીધે ઘણા દાખલાઓમાં કાંઈક સ્થલ અનિષ્ટો જરૂર નીપજતાં હશે, પરંતુ તેના કરતાં કેટલાય ગણે બદલે ત્યાંના લોકોને તેમાંથી બીજી રીતે વળી રહે છે.
“મારા સમર્થનમાં સર જ્યોર્જ કલાકે મને કહેલી એક વાત હું તમને કહી બતાવું. કાઠિયાવાડમાં ઠેરઠેર અંગ્રેજી અને દેશી હકુમત જોડે જોડે આવેલી છે. સર જ્યોર્જ કલાકે મને કહ્યું કે, તેઓ પાસે વધારે માલમતા વીંઢાળવાની ન હોવાથી, તેઓ વારંવાર અંગ્રેજી હદમાંથી દેશી રાજ્યોની હદમાં ચાલ્યા જાય છે. પરંતુ દેશી હદમાંથી લોકો અંગ્રેજી હદમાં ચાલ્યા આવવાને એક પણ દાખલા તેમણે સાંભળ્યો નથી. ભલે તમે હિંદુસ્તાનના લોકોની એ વિપરીત બુદ્ધિને વખોડી કાઢે; પરંતુ જે વસ્તુ તેમના સુખમાં વૃદ્ધિ કરે છે, તેમની ટેવોને અનુકૂળ આવે છે, અને તેમની રીતે તેમની નૈતિક પ્રગતિ સાધે છે, તે તમારે વિચારમાં લેવી જ જોઈએ. તમારે ઈરાદો એંગ્લો–સેકસન બીબા પ્રમાણે જ તેમને માનસિક વિકાસ સાધવાનો હશે, તો તમારે ઉઘાડી અને ભારે હાર ખાવી પડશે.”
ઉપર જે ઉતારા ટાંકળ્યા. તેમાંથી જે એક વસ્તુ સ્પષ્ટ દેખાઈ આવે છે, તે એ છે કે, અત્યારના હિંદુસ્તાનના રાજતંત્ર અને વહીવટમાં સ્વાભાવિક જ એવું કાંઈક છે, કે જેથી પરિણામે લોકોને અચૂક તથા કાયમને ત્રાસ અને દુખ નીપજે જ : મેંકેલેના શબ્દોમાં કહીએ તો “ગુલામી'; એલીસબરીના શબ્દોમાં “ઉચ્ચ જીવન અથવા પદવીની બાબતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org