________________
૧૭૪ હિંદુસ્તાનની ગરીબાઈ પણ વધુ ભયંકર છે. આપણું રાજકારભારનું તંત્રબદ્ધ થઈ જવાનું વલણ; તેના ઝીણવટભર્યા સંગઠનને કારણે જ તેમાં નીપજતી શિથિલતા અને બેકાળજી; તેમાં સર્વત્ર માલૂમ પડતી કોઈ પણ જાતની જવાબદારી સ્વીકારવાની બીક; અને તેની હદ બહારની કેન્દ્રિતતા – આ બધાં પરિણામે જે કારણેએ નીપજે છે, તેને માટે ભલે કાઈ એક માણસને જવાબદાર નહિ હરાવી શકાય, પરંતુ તે બધાં મળીને આખા તંત્રમાં એટલા મોટા પ્રમાણમાં રેઢિયાળપણું ઊભું કરે છે કે, જે ત્યાંનાં બીજાં કુદરતી કારણો અને સંજોગે સાથે મળીને લોકોને ભારે ત્રાસ અને દુ:ખજનક થઈ પડે છે.
“એટલે આપણી ઝીણવટભરી પરંતુ કૃત્રિમ રાજપદ્ધતિ સાથે હિંદુસ્તાનની જાડી પણ પરિણામે ઝડપી એવી દેશી પદ્ધતિની સરખામણી કરીએ, ત્યારે આ બધી બાબતો લક્ષમાં રાખવી જોઈએ. કારણ કે, કાઈ વિકટ પ્રસંગે તે જગાએ વિશિષ્ટ શક્તિવાળો અમલદાર ન હોય, તો આપણું જટિલ તંત્ર કરતાં દેશી સાદી વ્યવસ્થા વધુ સંતોષકારક પરિણામ લાવી શકે. આમ કહીને, હિંદુસ્તાનમાં આપણું કામ ત્યાંનાં દેશી રાજતંત્રને પણ વ્યવસ્થિત કરવાનું, સુધારવાનું અને વિકસાવવાનું છે, એની હું ના પાડવા નથી માગતો. પરંતુ, ત્યાંની દેશી રાજવ્યવસ્થા આપણા મુલકમાં તદ્દન અસહ્ય થઈ પડે તેવી હોવા છતાં, તે ત્યાંના લોકોમાંથી જ નીપજેલી હોઈ તેને એક જ વાડી કાઢવા સામે મારે વાંધો છે. તે વ્યવસ્થામાં ત્યાંના લોકો માટે એક પ્રકારની એવી ગ્યતા અને માફકતા છે, કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org