________________
* ૧૭૦
હિંદુસ્તાનની ગરીબાઈ રાજવ્યવસ્થા વિચારી કાઢો, અને તેનો અમલ કરવા પરદેશી અમલદારે લા – ભલે પછી તે સ્વર્ગમાંથી સીધા આવેલા દેવદૂતો કેમ ન હોય – પણ જ્યાં સુધી તેમની મારફતે દેશના પૈસાનો મોટે ભાગે દર વર્ષે હંમેશને માટે પરદેશ જ ચાલ્યો જાય, ત્યાં સુધી કેની સ્થિતિ સુધરવાની આશા કરવાને છેડી દો. એટલું જ નહિ, પણ, નવા સુધારા અને પ્રગતિની તમારી યોજના જેમ વધુ સંપૂર્ણ અને વધુ વિશાળ હશે, તેમ લોકોનું અનિષ્ટ પણ તેટલા જ પ્રમાણમાં વધશે, પણ ઘટશે નહિ. કારણ કે, અત્યારે હિંદુસ્તાનમાં સુધારા અને પ્રગતિનો જે રીતે અર્થ કરવામાં આવે છે, તે રીતે તો, તેટલા વધારે પરદેશી શોષકે દેશને લાગુ થાય, એટલું જ. તેથી લોકોનું દળદર તો ફીટે જ નહિ. કારણ કે, જે વસ્તુ દરદીના રોગનું જ મૂળ કારણ છે, તેને વધારવાથી રોગ દૂર કેમ કરીને થાય ?
તો પછી, હિંદુસ્તાનમાં નવા પ્રકારનું સુવ્યવસ્થિત રાજતંત્ર ચાલુ રહે, ઇંગ્લંડનાં હિતો પણ જળવાઈ રહે, તથા લોકોની દશા પણ સુધરે એવો કોઈ ઉપાય છે કે નહિ ? એ ઉપાય ડાં વર્ષ અગાઉ ઇંગ્લંડના બે સમર્થ રાજપુરુષોએ ક્યારનો બતાવી દીધું છે, અને તેનો અમલ થતાં તેની સફળતા પણ બધાની આંખ સામે જ પુરવાર થઈ ચૂકી છે. મૈસુર રાજ્યમાંથી અંગ્રેજી વહીવટ ઉઠાવી લઈ, તે રાજ્ય ત્યાં દેશી રાજાને સોંપવામાં આવ્યું, તે બીનાની હું અહીં વાત કરું છું. ઈ. સ. ૧૮૬૭માં મૈસુરનું રાજ્ય દેશી રાજાને સોંપવાનું નકકી કરવામાં આવ્યું, ત્યારે પાર્લામેન્ટમાં ભારે ચર્ચા ચાલી હતી. હિંદુસ્તાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org