________________
કિપાચ
૧૭૧ સત્તાવાળાઓ તેની તદ્દન વિરુદ્ધ હતા. તે વખતે હિંદી વજીર લોર્ડ કેનબર્ન (પછીથી લૉર્ડ સેલીસબરી) ૨૨મી જાન્યુઆરી ૧૮૬ ને રાજ બોલતાં જણાવ્યું હતું કે, “મારું ચકકસ માનવું છે કે, સારા રાજતંત્રવાળું દેશી રાજ્ય આપણી હકુમતની દઢતા માટે વાસ્તવિક રીતે ઉપકારક છે; એટલું જ નહિ, પણ, તે બધા કરતાં મહત્ત્વનું એવું તો એ છે કે, તે રાન્ય હિંદુસ્તાનના લોકોમાં સ્વમાનની ભાવના વધારે છે તથા લોકોની મહત્ત્વાકાંક્ષાને એક ઉત્તમ ધ્યેય પૂરું પાડે છે.”
ઈ. સ. ૧૮૬ છને ૨૪મી મેને દિવસે હિંદી વજીર સર સ્ટેફર્ડ નોર્થકેટે (પછી લોર્ડ ઇટ્સએ) પણ એ જ વસ્તુને અંગે બેલતાં જણાવ્યું , “દેશી રાજવહીવટની મુખ્ય ફાયદો તે એ હોય છે કે, તેમાં રાજક્ત અને પ્રજાજનો વચ્ચે સહાનુભૂતિની લાગણી હોય છે. કારણ કે, રાજકર્તાવમાં પ્રજાના પૂર્વગ્રહો અને ઈચ્છાઓ સમજી શકતો હોય છે તથા તેની કદર કરતા હોય છે. ખાસ કરીને હિંદુ રાજ્યમાં તો લોકોની ધાર્મિક લાગણીઓ. રાજકર્તાના પક્ષમાં વાળવામાં આવી હોય છે, જ્યારે આપણી બાબતમાં તે આપણુથી વિરુદ્ધ ઉશ્કેરાઈ હેાય છે. હિંદુસ્તાનથી પાછા આવેલા ઘણું લોકોએ મને કહ્યું છે કે, કોઈ દેશી શહેરમાં થઈને પસાર થતી વેળાએ બંને બાજુએ આવેલાં ઘર તરફ નજર કરીએ છીએ, ત્યારે એમ લાગ્યા વિના રહેતું જ નથી કે, તે ઘરમાં રહેનારા લોકોની વિચારસરણીએ. લાગણીઓ તેમ જ તેમના પૂર્વગ્રહ વગેરે વિષે આપણે વાસ્તવિક શું જાણીએ છીએ? એટલે અંગ્રેજી રાજતંત્રને તે ઘણા પ્રતિકૂળ સંજોગેમાં જ કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org