________________
હિંદુસ્તાનની ગરીબાઈ માટે દેશમાંથી નાબૂદ થઈ–અરે. દરિયામાં પધરાવી – એમ જ કહેવું જોઈએ... આપણે આ પ્રકારની ખંડણી લાંબા વખતથી હિંદુસ્તાનમાંથી પડાવતા આવ્યા છીએ... તેની અસર હિંદુસ્તાન ઉપર કેવી ઘાતકી અને વિનાશક થાય છે, તે હવે સમજી શકાશે. તે ખંડણીને આપણે ન્યાયનાં ત્રાજવાંએ તેળી જોઈએ, કે આપણું પિતાના સ્વાર્થની દષ્ટિએ તપાસીએ, તોપણ તે માનવતા, વ્યાવહારિક ડહાપણ કે અર્થશાસ્ત્રના સર્વમાન્ય સિદ્ધાંતથી પણ ઊલટી માલૂમ પડશે.”
હિંદી વજીર લોર્ડ સેલીસબરીએ ઈ. સ. ૧૮૭૫) પિતાના ખરીતામાં જણાવ્યું હતું કે, “હિંદુસ્તાનના દાખલામાં, કે જ્યાં મહેસૂલની રકમને મેટો ભાગ કાંઈ પણ સીધા બદલા વિના પરદેશ ચાલ્યા જાય છે, ત્યાં તે નુકસાનનું પ્રમાણ વળી મોટું બની જાય છે. જે હિંદુસ્તાનને ચૂસવું જ હોય, તે જે ભાગમાં લોહી વધારે હોય કે પૂરતું હોય, ત્યાં જ આપણી નળી ખેસવી જોઈએ; અને નહીં કે જે ભાગે (એટલે કે ખેડૂતવર્ગના લોકે) તેની અછતને લીધે અગાઉથી જ નબળા પડી ગયેલા હોય.”
આ વાક્ય તે ર૬ વર્ષ પૂર્વે ઉચ્ચારાયેલું છે. હવે તો જે ભાગે વધારે કે પૂરતા લેહીવાળા ગણાતા હતા, તે પણ વર્ષોવર્ષ નળી લાગતી રહેવાથી ચુસાઈને નબળા બનતા ગયા છે; અને લેહીની અછત’વાળો ખેડૂત વર્ગ તે એ ખાલી થઈ ગયો છે કે, અત્યારના જેવા દુકાળો અને પ્રેગો તેને માટી ભેગે જ કરી મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org