________________
મંડાણ કરોડ ૩૯ લાખ પાઉંડને બન્યું છે......આ સતત ચાલુ રહેતો અને એકઠો થતો જતો ધોધ ઇંગ્લંડ જેવા દેશને પણ થોડી વારમાં કંગાળ બનાવી દે. તો પછી હિંદુસ્તાન જે દેશ, કે જ્યાં મજૂરીનો દર રોજના બે કે ત્રણ પેન્સ એટલે છે, તેના ઉપર એ ધોધની કવી માઠી અસર થાય તે વિચારવા જેવું છે.” એ ધોધ વધીને હવે તે દર વર્ષે ત્રણ કરેડ પાઉંડનો બને છે અને તેમાં વેપારધંધાની બીજી આવક ઉમેરીએ તો વાર્ષિક ચાર કે પાંચ કરોડ પાઉડ જેટલો થયેલ છે. તેનું પરિણામ દુકાળો, પ્લેગ, પાયમાલી અને કંગાલિયતમાં ન આવે, તો બીજું શું થાય?
મિલે પિતાના “હિંદુસ્તાનના ઇતિહાસમાં એ વિષે લખતાં જણાવ્યું છે કે, “એ વસ્તુ, દેશની સાધનસંપત્તિમાંથી બહાર ચાલ્યા જતા અને દેશને કંગાળ બનાવી મૂકતા
ધરૂપ છે, કે જેના બદલામાં દેશને કશું જ વળતર પાછું નથી મળતું. દેશને હુન્નરઉદ્યોગની ધોરી નસમાંથી ચુસાઈ જતા એ જીવનપ્રવાહની બેટ, બીજા ગમે તેવા પિષણથી પણ પૂરી ન શકાય.”
સર જ્યોર્જ વિગેટે ઈ. સ. ૧૮૫૯ભાં બોલતાં જણાવ્યું છે કે, “દેશમાંથી ઉઘરાવેલા કર દેશમાં જ વપરાય તેની અસર, દેશમાંથી ઉઘરાવેલા કર બીજા દેશમાં વપરાય તેના કરતાં તદ્દન જુદી જ થાય. પહેલા દાખલામાં તો પ્રજા પાસેથી ઉઘરાવેલા કર દેશના ઉદ્યોગહુનરને જ બીજે રૂપે પાછળ મળે છે; પરંતુ બીજા દાખલામાં તો તે રકમ હંમેશને
૧. પુ. ૧, પાન ૬૭ી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org