________________
હિંદુસ્તાનની ગરીબાઈ મેંકોલેએ આ વસ્તુસ્થિતિને ઉપસંહાર કરતાં જણાવ્યું છે : “બિચારા બંગાળીઓનો અંગ્રેજો સામેનો વિરોધ, એ તો ઘેટાંના વરુઓ સામેના વિરોધ જેવો, કે મનુષ્યના પિશાચે. સામેના વિરોધ જેવો હતો...કંપનીના દરેક અંગ્રેજ નેકરનું કામ, દેશીઓ પાસેથી જેમ બને તેમ જલદી લાખ કે બે લાખ પાઉંડ કેમ કરીને એકઠા કરી લેવા, એ જ માત્ર હતું.”
કમનસીબે હિંદુસ્તાન અને બ્રિટનના સંબંધની શરૂઆત આ પ્રમાણે લોભ અને અત્યાચારથી થઈ અને દુર્ભાગ્યે એ જ વસ્તુસ્થિતિ આજે પણ સૂક્ષ્મ રીતે તેમ જ જુદા જુદા ઢાંકપિછોડાઓ હેઠળ કાયમ રહી છે, તથા હિંદુસ્તાનની ગરીબાઈ તથા પાયમાલીનું મુખ્ય કારણ બની છે. અત્યારે તો તે લૂંટનું પ્રમાણ વાર્ષિક ૩૦,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલું થયું છે; જ્યારે ગયા સૈકાની શરૂઆતમાં તો તે વાર્ષિક ૩,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલું જ, અને ખાનગી આવકની રકમ ઉમેરીએ તો વાર્ષિક ૫,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલું જ – એટલે કે અત્યારે છે તેનો છઠ્ઠો ભાગ જ --- હતું.
મિ. મેંગેમરી માર્ટિને બંગાળ અને બિહારના. કેટલાક પ્રાંતિની ઈ. સ. ૧૮૦૭–૧૪ દરમ્યાન કરવામાં આવેલી બારીક તપાસનાં “ઈડિયા હાઉસ' માં પડેલાં કાગળિયાંને અભ્યાસ કરીને, ઈ. સ. ૧૮૩૫માં લખેલા પોતાના પુસ્તકમાં જણાવ્યું છે :
“બ્રિટિશ હિંદુસ્તાનમાંથી દર વર્ષે વહેતે ૩૦ લાખ પાઉંડને ધોધ બાર ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજે ૩૦ વર્ષમાં ૭૨
૧. “ઈસ્ટન ઇડિયા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org