SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મંડાણ નાકરોમાં વ્યાપેલા સડા અને ખાઉધરાપણાને લીધે ત્યાં પ્રવર્તી રહેલી દયાજનક સ્થિતિનું અમને પૂરેપૂરું ભાન છે. . . . કઈ જમાનામાં કે કોઈ પણ દેશમાં કદી જાણવામાં ન આવેલા એવા અત્યાચાર અને જુલમે ત્યાં ચાલી “અમારે ઉમેરવું જોઈએ કે, મુલકી વેપારમાં અંગ્રેજોએ મેળવેલું અઢળક ધન ભારેમાં ભારે અત્યાચાર અને જુલમથી મેળવ્યું છે.' લોર્ડ કલાઈવ ઈ. સ. ૧૭૬ ૫ના અરસામાં લખેલા કાગળમાં ડિરેકટરોના મંડળને જણાવ્યું છે : “અત્યારે અહીં જે અંધાધૂંધી ચાલી રહી છે, તેનું કારણ શું છે? તેનું કારણ બીજું કાંઈ જ નથી, પરંતુ અહીંના અંગ્રેજોનું ખાઉધરાપણું; ભોગવિલાસ, અને જે સંપત્તિ થોડાકને જ મળી શકે કે મળવી જોઈએ, તે મેળવવાની નાનાથી માંડીને મોટા સુધી તમામની તમન્ના..... એ તો સમજી શકાય તેવું છે કે, એક બાજુ ધનની અમર્યાદ તૃષ્ણા હોય, અને બીજી બાજુ તેને પૂરી કરવાની તમામ સગવડો અને સત્તા હોય, તો તેને સત્વર લાભ લેવાય જ. સામાન્ય લાંચ રુશ્વતથી જ્યાં પિતાની ભૂખ શમે તેવું ન હોય, ત્યાં બળાત્કારને જ આશરે લેવાય. મેટા અમલદારો એ બાબતમાં જે દાખલે પૂરે પાડે તેનું જ અનુકરણ હલકા નોકરો પણ ઓછાવત્તા પ્રમાણમાં કરે. પરિણામે, એ ચેપ મુલકી નોકર, લશ્કરી -નોકરો, કારકુન, નાના નાના કપ્તાનો અને સ્વતંત્ર વેપારીઓ એમ સર્વત્ર વ્યાપી ગયો છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy