________________
હિંદુસ્તાનની ગરીબાઈ ચીન વગેરે બીજા દેશોમાં પણ ચાંદીનું જ ચલણ છે. પરંતુ હિંદી સરકારને અત્યારે જે મુશ્કેલી નડે છે, તેવી તેમને કશી જ મુશ્કેલી નથી નડતી. હિંદી વજીર લોર્ડ રુડોલ્ફ ચર્ચાલે ઈ. સ. ૧૮૮૬માં મેકલેલા ખરીતામાં જ
પષ્ટ એકરાર કર્યો છે કે, “એ કહેવાની જરૂર જ નથી કે, હિંદી સરકારને દર વર્ષે ઈંગ્લંડમાં ફરજિયાત સેનાના ચલણમાં જે નાણું ભરવાં પડે છે, તેને કારણે જ રૂપિયાના હૂંડિયામણમાં થતા ઘટાડાને લીધે તેની કોથળીને સીધી અસર પહોંચે છે. દેશનું રાજતંત્ર પરદેશીઓના હાથમાં હોવાથી રાજતંત્રની બધી મુખ્ય નોકરીઓ પરદેશીઓના હાથમાં છે, અને લશ્કરનો મોટો ભાગ પણ તેમને બનેલો છે. એટલે એ પરદેશી રાજ્યને પરિણામે, તેમ જ દેશની બહાર કરવામાં આવતા ખર્ચને ભરપાઈ કરવા માટે જે નવા કરવેરા નાખવા જ પડે, તે વસ્તુ રાજકીય દૃષ્ટિએ જોખમભરેલી છે; અને તેની ગંભીરતા, જેમને હિંદી રાજતંત્રની કશી માહિતી નથી કે જેમને તેની સાથે કશી લેવાદેવા નથી, તેમની કલ્પનામાં પણ આવી શકે તેમ નથી.”
પરંતુ એ પરદેશી રાજ્યને પરિણામે નીપજતાં અનિષ્ટ દૂર કરવાને રસ્તો, હિંદી સરકાર કરે છે તેમ ચલણની કરામત કરવી એ નથી. હિંદુસ્તાનના બ્રિટિશ રાજ્યને સુરક્ષિત અને દઢ પાયા ઉપર મૂકવું હોય, અને હિંદી પ્રજાને આ બધા રાષ્ટ્રીય, રાજકીય અને નૈતિક અધઃપતન તેમ જ આર્થિક અને ભૌતિક પાયમાલીમાંથી બચાવવી હોય, તે અત્યારના ગેર-અંગ્રેજી રાજ્યને બદલે સાચું અંગ્રેજી રાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org