________________
ચલણ અને હૂંડિયામણ વળી વધારે આવશ્યક છે. કારણકે, એમ ચોક્કસ કહી શકાય કે, સોનાચાંદીના બજારભાવ નક્કી કરવા જેવા કરતાં પિતાનું ખર્ચ ઓછું કરવું એ આપણું પોતાના કાબૂની વાત વધારે પ્રમાણમાં છે.”
ઇંગ્લંડના તિજોરીખાતાએ જ્યારે હિંદી સરકારની સૂચનાને આમ એક જ ઉડાવી દીધી, ત્યારે હિંદી સરકારે પોતાનું ધાર્યું કરવાની હંમેશની રીત મુજબ, પોતાનાં જ માણસની એક કમિટી, આ બાબતની તપાસ કરીને પોતાનો નિર્ણય આપવા માટે ઈ. સ. ૧૮૯૩માં નીમ. અને ઇંગ્લંડને તિજોરીખાતાએ જે વસ્તુને અર્થશાસ્ત્રના સામાન્ય સિદ્ધાંતોથી વિરુદ્ધ જતી” કરાવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢી હતી, તે જ વસ્તુને મંજૂર કરી. ઇંગ્લંડના તિજોરી ખાતાએ પછી કશો જ વાંધે ન લીધે. કારણકે, તેના પિતાના પેટમાં તે તેથી કાંઈ દુ:ખવાનું નહોતું. હિંદુસ્તાનના કર ભરનારાઓનું જે થવાનું હોય તે થાય, પરંતુ જ્યાં સુધી ઇંગ્લંડના કર ભરનારાઓને કશું સીધું નુકસાન ન થતું હોય, ત્યાં સુધી હિંદી સરકારને રોકવા જેટલી હદે જવાની તેને શી જરૂર ?
ઉપર વર્ણવેલી દુ:ખદ ઘટનાઓ ઉપર ટીકા કરવી નિરર્થક છે. આ બધાં અનિષ્ટોનું મૂળ હિંદુસ્તાનના રાજતંત્રમાં રાખેલા વધારે પડતા ગોરા અમલદારો છે. તેમના પગારે અને પેન્શન ઇત્યાદિ પેટે દર વરસે ઇંગ્લંડ આટલી મોટી રકમ ભરવી પડતી ન હોત, તે ટૂંડિયામણુના દરની વધઘટને લીધે સરકારને કી મુશ્કેલી ન આવત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org