________________
હિંદુસ્તાનની ગરીબાઈ કરવેરામાં ફેરફાર કરવો પડે. પરંતુ તેમ કરવું જ પડે એવું અમે માનતા નથી. કારણક, ખર્ચ ઓછું કરવાની વાત તો હિંદી સરકાર કરતી જ નથી; પોતાના ખર્ચમાં કરકસર કરીને જમા અને ઉધારનાં પાસાં જરૂર બંધબેસતાં કરી શકાય.
હિંદી સરકારને ઈંગ્લેંડ જે રકમ ભરવી પડે છે, તેમાં ચાંદીના ભાવની જે હરીફાઈ તેને નડે છે, તે હિંદી સરકાર દૂર કરવા માગે છે. પરંતુ તેનો અર્થ અંતે તો એ જ થાય છે કે, હિંદી સરકાર પિતાને જે પિતાને ખભેથી ઉતારીને બીજાને ખભે નાખવા માગે છે. અને એમ જ હોય તો અંતે તે બોજો કોને ખભે જઈને પડશે, તેમ જ તેની અસર હિંદી સરકારની શાખ કે હિંદી વેપાર ઉપર શી થશે, તેને વિચાર તે કેમ કરતી નથી?
“ તે ખરીતામાં ઉપર જણાવેલા જે રદિયો આપ્યા છે, તેનાથી જુદા પડવાનું કશું કારણે હિંદી સરકારે આ નવા ખરીતમાં જણાવ્યું નથી. ઈગ્લેંડ દેશની તે હંમેશાં એ નીતિ જ રહી છે કે, વ્યાપારી સંબંધોમાં સરકારી કાયદાની બને ત્યાં સુધી કશી ડખલગીરી ન કરવી, અને માલની લેવડદેવડમાં કશાં નિયંત્રણ ન મૂકવાં. પરંતુ પાઉડી અને રૂપિયા વચ્ચે ડિયામણનો દર કાયદાથી કરવા બેસીએ, તો ઉપરના સિદ્ધાંતોનો ભંગ થાય અને કુદરતી કાયદામાં મનસ્વી ડખલગીરી કર્યા જેવું થાય, કે જે કરવાની અત્યારે કશી જરૂર દેખાતી નથી. ઉપરાંત, પહેલાંના ખરીતામાં અમે ખર્ચ ઓછું કરવાની જે સુચના કરી હતી, તે વિષે સરકારે કશો જવાબ આપ્યો જ નથી. આજના પ્રસંગે તે વસ્તુ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org