SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ચલણ અને હૂંડિયામણ ૧૧૩ વળી, હિંદી સરકારની યેજનામાં પાઉંડ અને રૂપિયા વચ્ચેનો દર કાયદાથી નિયત કરવાની વાત પણ હતી. તેને જવાબમાં તે ઇગ્લેંડના તિજોરીખાતાએ (ઈ. સ. ૧૮૮૬) જે લખ્યું છે, તે ટાંકીને જ હું સંતોષ માનીશ. તેમણે જણાવ્યું કે, “તેમ કરવું જરૂરી હોય તો પણ તે કેવી રીતે કરી શકાય તે તો તમે જણાવતા જ નથી. ઈ. સ. ૧૮૭૮માં હિંદી વરે ચેન્સેલર ઓફ એક્સેકરને આવા જ મુદ્દાનું લખાણ મોકલ્યું હતું. ચેન્સેલરે તે મુદ્દો નિષ્ણાતોની એક કમિટીને તપાસવા માટે આપ્યો હતો. તે કમિટીએ ચેખું જણાવ્યું હતું કે, “હિંદી સરકારની સુચના મંજૂર રાખવા માટે શાહી સરકારને ભલામણ કરી શકાય તેમ નથી, એવું અમે બધા એકમતે જાહેર કરીએ છીએ.” પછી ઈ. સ. ૧૮૭૯માં તિજોરીખાતાએ હિંદી સરકારને જે જવાબ લખી મોકલ્યો હતો, તેમાંથી નીચેના ફકરા અત્યારે ફરી હિંદી વજીરના ધ્યાન ઉપર અમે લાવવા માગીએ છીએ : “ચલણના કાયદામાં ફેરફાર કરવો, એ કોઈ પણ સરકાર માટે મેટામાં મોટું મુશ્કેલ કામ છે; અને તાત્કાલિક સંજોગોના દબાણને વશ થઈ અથવા અમુક અનિશ્ચિત પરિણામોના ડરથી ગભરાઈ તે બાબતમાં ઉતાવળે પગલાં ભરી બેસવાં એ સલાહભર્યું નથી. ચલણને વિષય બહુ ફૂટ છે, તેમ જ વ્યક્તિ તેમ જ સમાજને બંનેને માટે અતિ મહત્ત્વનું છે. કારણકે, તેની અસર દૈનિક જીવનના તમામ વ્યવહાર અને સંબંધ ઉપર સીધી થાય છે. - “હિંદી સરકાર કહે છે કે, અત્યારે જેમ છે તેમ ચાલે, એટલે કે, હૂંડિયામણના દર વરસે વરસ બેસતા જાય, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy