________________
ચલણ અને હૂંડિયામણ ૧૧૩ વળી, હિંદી સરકારની યેજનામાં પાઉંડ અને રૂપિયા વચ્ચેનો દર કાયદાથી નિયત કરવાની વાત પણ હતી. તેને
જવાબમાં તે ઇગ્લેંડના તિજોરીખાતાએ (ઈ. સ. ૧૮૮૬) જે લખ્યું છે, તે ટાંકીને જ હું સંતોષ માનીશ. તેમણે જણાવ્યું કે, “તેમ કરવું જરૂરી હોય તો પણ તે કેવી રીતે કરી શકાય તે તો તમે જણાવતા જ નથી. ઈ. સ. ૧૮૭૮માં હિંદી વરે ચેન્સેલર ઓફ એક્સેકરને આવા જ મુદ્દાનું લખાણ મોકલ્યું હતું. ચેન્સેલરે તે મુદ્દો નિષ્ણાતોની એક કમિટીને તપાસવા માટે આપ્યો હતો. તે કમિટીએ ચેખું જણાવ્યું હતું કે, “હિંદી સરકારની સુચના મંજૂર રાખવા માટે શાહી સરકારને ભલામણ કરી શકાય તેમ નથી, એવું અમે બધા એકમતે જાહેર કરીએ છીએ.” પછી ઈ. સ. ૧૮૭૯માં તિજોરીખાતાએ હિંદી સરકારને જે જવાબ લખી મોકલ્યો હતો, તેમાંથી નીચેના ફકરા અત્યારે ફરી હિંદી વજીરના ધ્યાન ઉપર અમે લાવવા માગીએ છીએ :
“ચલણના કાયદામાં ફેરફાર કરવો, એ કોઈ પણ સરકાર માટે મેટામાં મોટું મુશ્કેલ કામ છે; અને તાત્કાલિક સંજોગોના દબાણને વશ થઈ અથવા અમુક અનિશ્ચિત પરિણામોના ડરથી ગભરાઈ તે બાબતમાં ઉતાવળે પગલાં ભરી બેસવાં એ સલાહભર્યું નથી. ચલણને વિષય બહુ ફૂટ છે, તેમ જ વ્યક્તિ તેમ જ સમાજને બંનેને માટે અતિ મહત્ત્વનું છે. કારણકે, તેની અસર દૈનિક જીવનના તમામ
વ્યવહાર અને સંબંધ ઉપર સીધી થાય છે. - “હિંદી સરકાર કહે છે કે, અત્યારે જેમ છે તેમ ચાલે, એટલે કે, હૂંડિયામણના દર વરસે વરસ બેસતા જાય, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org