SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ચલણ અને હૂંડિયામણ ૧૫૫. તેમ હોતું નથી. પરંતુ હિંદુસ્તાનના લોકે ઉપર નંખાય તેટલા બધા જ કર અત્યારે અગાઉ નંખાઈ ગયા હોવાથી, ન કર નાંખો એ હિંદુસ્તાનની કેડ જ ભાગી નાખવા. - જેવું હતું, અથવા તો લોકોને મરણિયા કરવા જેવું જ હતું. હિંદી વજીરે તે જ વસ્તુ પોતાના ઈ. સ. ૧૮૮૬ના. ખરતામાં સ્પષ્ટ કરી છે કે, “વધારાના કરવેરા નાખવા એ હંમેશાં હિંદી સરકારને મૂંઝવનારી વસ્તુ રહી છે; અને તેમાં પણ સૌથી મોટો વિરોધ તો લેકે જે જાતના કરવેરાથી પરિચિત નથી, તે જાતના કરવેરાને અંગે, તેમ જ તેમાં વારંવાર કરાતા ફેરફારને અંગે, કે તેવા ફેરફાર હજુ પણ ભવિષ્યમાં કરવામાં આવશે અને વધુ કરવેરા નાખવામાં આવશે એવી સંભવિતતાને અંગે હોય છે. . . આવી. વસ્તુસ્થિતિ કોઈ પણ દેશમાં મેટામાં મેટાઅનિષ્ટરૂપ મનાય, અને તેમાંય હિંદુસ્તાન જેવા દેશમાં તો તે જોખમભરેલી ગણાય” હવે, એ વાત તો ઉઘાડી છે, કે ખર્ચ વધ્યું હોય અને તે માટે નવા કરવેરા નંખાય તેમ ન હોય, તો કોઈ પણ પ્રજાહિતૈષી સરકાર બને તેટલો ખર્ચની રકમમાં જ ઘટાડે, કરવાને તનતોડ પ્રયત્ન કરે. પરંતુ તેને બદલે હિંદુસ્તાનની પરદેશી સરકારે શું કર્યું તે જોવા જેવું છે. તેણે એકદમ ટંકશાળ બંધ કરીને રૂપિયાની અછત બજારમાં ઊભી, કરવાનું, સોનાનું ચલણ દાખલ કરવાનું, તથા પાઉંડ અને રૂપિયાના દંડિયામણને દર મનસ્વી રીતે કરાવવાનું નક્કી કર્યું.. આમ કરવાથી સરકારને શું ફાયદો થાય, તે સમજાવતા પહેલાં.. હું શરૂઆતમાં એક બીજા મુદ્દાની ચેખવટ કરી લઉં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy