________________
૧૫૪
હિંદુસ્તાનની ગરીબઈ રૂપિયાને બદલે ૧૬,૫૦૦ રૂપિયા મળવાના અને લાભ થવાને પરંતુ વસ્તુતાએ એમ બનતું જ નથી; કારણ કે દંડિયામણના દર જેમ ઊંચાનીચા જાય છે, તેમ વસ્તુઓના ભાવ પણ આપોઆપ ગોઠવાઈ જાય છે. કારણ કે, બજારમાં હરીફાઈ ચાલુ જ હોય છે, એટલે હું નહિ તો ભારે પડોશી પિતાને ભાલ એ છે કે વેચશે, અને એમ છેવટે ભાવ ઠેકાણે આવી જશે.
જ્યારે વસ્તુસ્થિતિ આમ છે, ત્યારે ચાંદીના ભાવ બેસવાથી હૂંડિયામણના ભાવ ઊંચાનીચા થાય છે ત્યારે હિંદી સરકાર કેમ ગભરાય છે, અને તેને ટંકશાળ બંધ કરવાનો, સોનાનું ચલણ દાખલ કરવાને, તથા પાઉંડ અને રૂપિયા વચ્ચે હૂંડિયામણનું પ્રમાણ એકસ કરવાનો મુદ્દો કમ ઉભા કરવો પડે છે?
તેનું કારણ બીજું કશું નથી. પણ હિંદુસ્તાનની રાજકીય પરતંત્રતા જ છે. હિંદુસ્તાનમાંથી દર વર્ષે હિંદી સરકારને “હમ ચાર્જિસ તરીકે ” ઇંગ્લંડમાં આશરે ૨૦,૦૦૦,૦૦૦ પાઉંડ ભરવા પડે છે. ટૂંડિયામણને દર જ્યારે ર શિલિંગે રૂપિયા હતો ત્યારે તેટલા પાઉંડ ભરવા માટે હિંદુસ્તાનની તિજોરીમાંથી તેને ર૦ કરોડ રૂપિયા ઉપાડવા પડતા હતા. પરંતુ દંડિયામણને ભાવ વર વરસ બેસતો જવાથી ૧૬ પેન્સને રૂપિયા થઈ ગયો; એટલે તેટલી જ રકમ ઇંગ્લંડ ભરવા માટે તેને હવે તિજારીમાંથી ૩૦ કરોડ રૂપિયા ઉપાડવા પડે તેવી સ્થિતિ આવી. એટલે કે, તેટલી વધારાની રકમ મેળવવા માટે તેને નવી કાર જ નાખવા પડે. ને કર નાખવામાં તો સરકારને કાંઈ ખારેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org