________________
હિંદુસ્તાનની ગરીબાઈ મંજૂર કરેલા ૮૦૦,૦૦૦, અને પર૧,૦૦૦ રૂપિયા. ઉપરાંત ૨,૧૩,૦૦૦ રૂપિયા ફરી મંજૂર કરવામાં આવ્યા છે અને ૧૮૯૨-૩માં પાછા ૬૧૬,૦૦૦ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આટલા બધા રૂપિયા લશ્કરને મુસાફરી માટે તૈયાર કરવામાં ખર્ચવામાં આવ્યા હોવા છતાં, ઈ. સ. ૧૮૯૫માં જ્યારે વાસ્તવિક જ લશ્કરના એક વિભાગને – અને તે પણ તેના ઘોડેસવારે અને તોપખાનાના મોટા ભાગ; વિના જ – કુચ કરવાની આવી, ત્યારે માલૂમ પડ્યું કે સરકાર પાસે માત્ર ૭,૪૮૨ ખચ્ચરે જ હતાં. લશ્કરી સત્તાવાળાઓએ જેટલાં મળે તેટલાં ખચ્ચરો વગેરે જાનવરે ભાડે લીધાં કે ખરીદ્યાં. અને છતાં જયપુર અને વાલિયરના લશ્કરનાં નવરે તેમ જ અમારી ટુકડીનાં જાનવરો મંગાવ્યાં ત્યારે જ લશ્કર કચ કરી શકહ્યું. તો પછી પિલા બધા કૂચની તૈયારી માટે જાનવરો વગેરે ખરીદવા મંજૂર કરેલા રૂપિયા કયાં ગયા ? બીજે ક્યાં જવાના હતા? તે બધા રૂપિયા સરહદ ઉપરની લડાઈમાં જ ખરચાયા હતા, પણ લોકો ભડકે નહીં તે માટે લશ્કરને મુસાફરી માટે સાધનસંપન્ન કરવાના ખર્ચ ખાતે તેમને નાખ્યા હતા.
ઉપરાંત, બજેટ વખતે પણ યુદ્ધો પટે શરૂઆતમાં જે સીધી રકમ માગવામાં આવે છે, તે થોડી જ જણાવવામાં આવે છે; કારણ કે એક વાર યુદ્ધ શરૂ કર્યા પછી જે વધુ ખર્ચ થાય, તે આપવાની જાણ ના પાડી શકે ? જેમ કે ઈ. સ. ૧૮૮૦ના ફેબ્રુઆરીમાં અફઘાન યુદ્ધના ખર્ચને અંદાજે ૫,૫૨,૦૦૦ પાઉંડને જણાવવામાં આવ્યો હતો, પરંતુ તે જ વર્ષના જૂન મહિનામાં તેમાં ૯,૦૦૦,૦૦૦ પાઉંડ વધારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org