SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ હિંદુસ્તાનની ગરીબાઈ અંગ્રેજોની આ બધી ચાલાકી અને અન્યાય, તેમ જ પિતાના દેશની પાયમાલી અને ગરીબાઈ દેખી છે. સમજી શકતા નથી ! અથવા તો હિંદુસ્તાનને અંગ્રેજ અમલદારે બ્રિટિશ પ્રજાને એમ કહીને અંધારામાં જ રાખવા માગે છે કે, હિંદુસ્તાનમાં તો સહુ રૂડાં વાનાં છે, અને હિંદીએ અંગ્રેજી રાજ્યના ઉપકારે માટે આભારની લાગણીથી પાણી પાણી થઈ જાય છે ! ટ્રાન્સવાલના રિપબ્લીક માટે બોલતાં મિ. ચેમ્બરલેને જણાવ્યું હતું (ઈ. સ. ૧૮૯૬ ) કે, “ટ્રાન્સવાલમાં અસંતોષ વ્યાપેલા રહેવા માટે ત્યાંના લોકોને વાજબી કારણ છે. ત્યાંની વસ્તીને મોટો ભાગ કરવેરાન કુલ હિસ્સો ભરે છે; છતાં તેને તે દેશના રાજ્યકારભારમાં જરાય હિસે નથી. એવી વિચિત્ર દશા બીજી કોઈ સુધરેલી જતિમાં વિદ્યમાન નથી; અને તે દશા આપણે ડાહી અને ડહાપણ ભરેલી રાજનીતિથી ફેડવી જોઈએ. હું એમ માનું છું કે, ટ્રાન્સવાલની સ્વતંત્રતાને જરા પણ જોખમાવ્યા સિવાય તે વિચિત્ર દશા મટાડી શકાય તેમ છે; અને જ્યાં સુધી તમે તેમ નહિ કરે, ત્યાં સુધી ત્યાંનાં આંતરિક તોફાનને તમે કાયમને માટે દૂર નહિ કરી શકે.” ‘ટાઈમ્સ' પત્રે પણ તે બાબતમાં ઑર્ડ સેલીબરીના ભાષણ ઉપર અગ્રલેખ લખતાં જણાવ્યું હતું કે, “ત્યાંના લેકાથી જાતિ અને લાગણમાં ભિન્ન એવા ત્યાંના પ્રધાન રાજકર્તવર્ગ પાસે રાજસત્તા અને બંદૂક હોવાને કારણે જ ત્યાંની બહુમતીને રાજસત્તામાં કે નાગરિકપણાના પ્રાથમિક હકામાંથી બાતલ રાખવામાં આવે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy