________________
ખર્ચની ન્યાય ફરવણું'
૧૪૭ તેમ જ પાર્લમેન્ટના કાયદાથી સિવિલ સર્વિસની પરીક્ષા હિંદુસ્તાનની નોકરીઓ માટે હિંદુસ્તાનમાં લેવાનું નક્કી કરી તેમને તેટલી નજીવી સમાનતા આપવાનું ઠરાવ્યા છતાં, અંગ્રેજોને જરા પણ ન છાજે તેવી યુક્તિઓ અને બહાનાં વડે તેને સામનો કરવામાં આવે છે. છતાં હિંદીઓને
સમાન પ્રજા અને સામ્રાજ્યના નાગરિક' કહેવા એ તેમની મશ્કરી અને અપમાન કરવા જેવું નથી તે બીજું શું છે? - ઈ. સ. ૧૮૮રને એપ્રિલથી માંડીને ઈ. સ. ૧૮૯૧ના માર્ચ સુધી હિંદુસ્તાનની પશ્ચિમ તરફની તેમ જ વાયવ્ય ખૂણ તરફની સરહદોની બહાર લડવામાં આવેલાં યુદ્ધોમાં, પાલ મેટને અહેવાલમાં જણાવ્યા મુજબ કુલ ૧૨૯,૦૦૦,૦૦૦ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યું છે. આમાં છેલા અફઘાને યુદ્ધમાં ખર્ચેલા ૨૧૦૦ ૦.૦ ૦ ૦ પાઉંડ કે જે નવે ચેાથે હસે ઈગ્લડે આપ્યો હતો, તેનો તે સમાવેશ પણ નથી થતો. આ ૧૨૯,૦૦૦,૦૦૦ રૂપિયામાંથી એક પાઈ પણ લંડ આપી નથી; અને તેની પાઈ એ પાઈ કંગાળ હિંદીઓ પાસેથી પડાવવામાં આવી છે. એ ૧૨૯,૦૦૦,૦૦૦ રૂપિયામાં સરહદના સામાન્ય લકરના પગારને સમાવેશ થઈ જાય છે, કે તેટલા રૂપિયા તો તે લડાઈ ને કારણે વધારાના થયેલા ખર્ચના છે, તે હું ચોક્કસ નથી જાણતો. હિંદીઓ સાચા અર્થમાં સમાન પ્રજ અને સામ્રાજ્યના નાગરિક' છે! કારણ તેઓ તમારા સામ્રાજ્ય માટે લોહી રે છે એટલું જ નહીં, પણ તેનું તમામ ખર્ચ પણ ઉપાડી લે છે !
- અંગ્રેજ લોકો એમ જ માનતા લાગે છે કે, હિંદીએ તો આફ્રિકાના જંગલી છે કે નાનાં બાળકો છે, જેથી તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org