________________
૧૪૧ હિંદુસ્તાનની ગરીબાઈ પાડવાને જ કીમતી અધિકાર આપવામાં આવ્યો છે. આખી વસ્તુસ્થિતિનું દુષ્ટમાં દુષ્ટ સ્વરૂપ તે એ છે કે, હિંદુસ્તાનના પૈસા ખર્ચતી વખતે કોઈ પૂછનારું ન હોવાથી, તે પૈસા બિનજરૂરી તેમ જ ઉડાઉ રીતે વેડફી મારવામાં આવે છે.
આ બધાં બળવાન વખતનાં તેમ જ પછીના કાળનાં અન્યાયી રીતે હિંદુસ્તાનને માથે નાખવામાં આવેલાં ખર્ચાનો બદલે કંઈક અંશે ઈ. સ. ૧૮૫૮ના મહાન, ઉદાર તથા ઈશ્વરની સાક્ષીથી પવિત્ર બનેલા ઢઢેરાથી વળી રહ્યો હોત. કારણકે, તે ઢેરા મુજબ હિંદી પ્રજાને નાગરિક તરીકે બ્રિટિશ પ્રજાની સમાન ગણી, બ્રિટિશ પ્રજા જેટલા હકે બક્ષવામાં આવ્યા હતા. પરંતુ એ ગંભીરતાપૂર્વક ઉચ્ચારેલાં વચન જરાય અમલમાં મૂકવામાં આવ્યાં? નહિ જ. લોર્ડ સેલીબરીએ જ એવાં બધાં વચનોને છેતરપિંડીરૂપ” જાહેર કર્યા; અને લોર્ડ લીટને તેમને ‘જાણી જોઈને કરેલી ધખાબાજીરૂપ” કહ્યાં. હિંદીઓને અંગ્રેજોની સમાન ગણવાનું તો ક્યાંય રહ્યું, પરંતુ તેમને સામ્રાજ્યની પાર્લમેંટમાં કે હિંદી ધારાસભામાં જ તેમના પિતાના ખર્ચમાં મત આપવાને પણ અધિકાર નથી; લશ્કરમાં પણ સૂબેદાર કે જમાદાર જેવા હલકા હાદાઓ સિવાય ઉપરી અમલદાર તરીકે તેમને નીમવામાં આવતા નથી; અવિશ્વાસપૂર્વક તેમને શસ્ત્રહીન કરી નાખવામાં આવ્યા છે. તેમને સ્વયંસેવક તરીકે પણ ભરતી કરવામાં આવતા નથી; સિવિલ સર્વિસમાં પણ ગમે તેવાં બહાનાં હેઠળ વિન્નો નાખી તેમને આગળના હોદ્દાઓ ઉપર વધવા દેવામાં આવતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org