________________
૧૩
ખર્ચની ન્યાય ફારવણું ઇંગ્લંડ પોતે જ ઉપાડે છે. તો પછી હિંદુસ્તાનની બાબતમાં આ પક્ષપાત કેમ ?
હવે નૌકાસૈન્યના ખર્ચ વિષે વિચાર કરીએ. અત્યારે ઈગ્લેંડનું જે નકસિન્ય છે, તેમ જ તેમાં જે વધારે કરવાને છે, તે બધું ઇંગ્લંડની પિતાની સલામતીને માટે આવશ્યક છે. ધારો કે ઇંગ્લંડને સામ્રાજ્ય ન હોય, તે પણ તેના પિતાના અસ્તિત્વ માટે જ તેટલું ખર્ચ તેને કરવું જ પડે. ઑર્ડ સેલિસબરીએ પોતાના બ્રાઈટન ખાતેના ભાષણ દરમ્યાન કહ્યું છે કેઃ “આપણું આ ટાપુ-ધર' કે જેની દુર્ધપતામાં જ આપણું મહત્તા સમાયેલી છે, તેની સુરક્ષિતતાને નિઃશંક બનાવવી એ આપણું પ્રથમ કામ છે. પરદેશના નૌકાસૈન્યમાં થયેલા કાઈ પણ સુધારાઓથી, તથા પરદેશી રાજ્યનાં ગમે તેવાં જોડાણથી આપણું આ વતનની સહીસલામતી જોખમાવી ન જોઈએ. ગમે તેમ થાય, પણ દરિયા ઉપર આપણે અજેય રહેવું જોઈએ. દુનિયાનાં બધાં સુખામાં, પરદેશી શત્રુઓના આક્રમણમાંથી સુરક્ષિતતા એ સૌથી પ્રથમ સ્થાન ભોગવે છે, અને તેથી ઈંગ્લંડના નૌકાસૈન્યને દાવો આપણું પૈસા ઉપર સૌથી પહેલો છે.”
વળી નૌકાસૈન્ય પાછળ ખરચાનો દરેક પૈસો અંગ્રેજોના ખિસ્સામાં જ જાય છે. નૌકાસૈન્યના જે લાભો છે, જે કીર્તિ છે, તેમ જ તેમાં જે રોજી છે, તે બધામાંથી જરા સરખે હિસ્સો પણ હિંદુસ્તાનને કે હિંદીઓને સીધે મળતો નથી. ઇંગ્લંડને કેઈ યુરેપી રાજ્ય સાથે કે અમેરિકા સાથે લડાઈ થાય, તો તે નૌકાસૈન્ય ઇંગ્લંડને પિતાના વેપારનું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org