________________
૩૮
હિંદુસ્તાનની ગરીબાઈ હવે આ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે, લેડ કિમ્બરલી ઇંગ્લંડના “ “દઢ નિશ્ચય'ની તેમ જ
આપણી હકૂમત કાયમ રાખવાની મોટી મોટી વાતો કરે છે; પરંતુ તે કોને ખરચે એ વિષે એક શબ્દ પણ બોલતા નથી. ગમે તેમ, પણ તેમના શબ્દોથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, તેમણે જણવેલી છેલ્લી બે બાબત –એટલે કે હિંદુસ્તાનમાં રાખવામાં આવેલા સિવિલ તેમ જ મિલિટરી સર્વિસના ગેરાએ – ઇંગ્લંડની હકૂમત હિંદુસ્તાનમાં કાયમ રાખવા માટે જ છે. તેથી હિંદુસ્તાનના રાજતંત્રમાં તેમને અર્થે જે ખાસ ખર્ચ કરવામાં આવતું હોય, તે ઇંગ્લંડે જ ઉપાડવું જોઈએ એમ કહેવામાં કશું અજુગતું નથી. પરંતુ હું એટલું કબૂલ કરવા તૈયાર છું કે, એ ગોરા અમલદારે અત્યારે જે પ્રમાણમાં તથા જે રીતે રાખવામાં આવે છે તે હિંદુસ્તાનને માટે મહાથાપરૂપ તેમ જ તેનાં દુઃખો અને પાયમાલીના કારણરૂપ હોવા છતાં, હિંદી રાજતંત્રમાં ગોરાઓના તત્ત્વથી ઓછાવત્તા પ્રમાણમાં હિંદુસ્તાનને પણ સુવ્યવસ્થા વગેરેનો જે લાભ મળે છે, તે પ્રમાણમાં તેમના પગારનો ઘેડ હિરો હિંદુસ્તાને પણ ઉઠાવો જોઈએ. પરંતુ ઈબ્લડની ‘ઇડિયા
ઓફિસ' તેમ જ તેને અંગેનું જે તમામ ખર્ચ ઈગ્લંડમાં કરવામાં આવે છે, તે તો ઇગ્લેંડના જ પ્રયજન માટે હોઈ, તેમ જ તેને બધે ભાગ ગોરાઓના જ ખિસ્સામાં જતો
ઈ તથા ઈગ્લંડમાં જ રચાતા હોઈ તેમ જ હિંદુસ્તાનની સંમતિ વિના બળજબરીથી જ તેને માથે મઢેલો હોઈ, તે બધે તો ઈગ્લડે જ ઉપાડવો જોઈએ. બીજાં સંસ્થાનો માટે જે “કોલોનિયલ ઑફિસ” ઈંગ્લંડ ચલાવે છે, તેનું ખર્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org