________________
ખર્ચની ન્યાય ફારવણું ૧૩૭ તે અંગ્રેજી રાજ્ય અને અંગ્રેજ હિતિને કારણે જ એટલે કે અંગ્રેજોની હકૂમત કાયમ રાખવા માટે જ – આપવામાં આવે છે. દેશી રાજ્યમાં ગોરાઓને નોકરી ન જ મળતી હોત. એટલે હિંદુસ્તાન દેશીઓને બધા પગાર ચૂકવે; પરંતુ ઇંગ્લંડના પ્રયોજન અર્થે અને ઇંગ્લંડના લાભ ખાતર જે ગોરાઓ રાખવામાં આવ્યા છે, તેમનો પગાર તો ઇંગ્લંડની તિજોરીએ જ ચૂકવવો જોઈએ. અંગ્રેજી હકુમત કાયમ રાખવા માટે પણ અત્યારે જેટલા અંગ્રેજોને નોકરીમાં રાખવામાં આવ્યા છે, તેટલાની આવશ્યકતા જ છે કે કેમ, તે વિષે અત્યારે હું દલીલ કરવા નહિ બેસું. પરંતુ એટલું તે નક્કી જ છે કે, હિંદુસ્તાનમાં જે ગેરાએ રાખવામાં આવ્યા છે, તે ઈંગ્લંડની હકુમત હિંદુસ્તાનમાં કાયમ રાખવાને અર્થે જ રાખવામાં આવ્યા છે. લોર્ડ કિમ્બરલીએ ઑર્ડ મેયરના ખાણ વખતે બેલતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કેઃ “ઇંગ્લંડમાં આપણા જુદાજુદા પક્ષોની નીતિમાં ગમે તેટલે વિભેદ હોય, પણ એક બાબતમાં તો આપણે બધા પક્ષો એકમત છે એમ હું માનું છું; અને તે એ કે, આપણા હિંદી સામ્રાજ્ય ઉપર આપણી હકૂમત કાયમ રાખવાનો આપણો દઢ નિશ્ચય છે. આપણી એ હકૂમત ત્રણ બાબતો ઉપર કાયમ રહેવાની છે. એક તો દેશી રાજાઓની અને હિંદી પ્રજાની વફાદારી અને સદ્ભાવ; બીજી પરંતુ અગત્યતામાં જરાય ઓછી નહિ એવી બાબત તે સિવિલસર્વિસને આપણા ગોરા અમલદારે, કે જે આપણે હિંદી રાજ્યતંત્રના પાયારૂપ છે; અને ત્રીજી તે હિંદુસ્તાનમાં રાખેલું આપણું ભવ્ય અને મોટું લશકર. . . .”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org