________________
હિંદુસ્તાનની ગરીબાઈ રહેતા અને સારી કે ખોટી ગમે તે રીતે પિતાનું ભાવી ઘડત. પરંતુ કાયદો અને વ્યવસ્થા વિના ગંગી રાજો હિંદુસ્તાનમાં પોતાનું અસ્તિત્વ ક્ષણ વાર ન ટકાવી શકત. દેશમાં એક દિવસ જ અંધાધૂંધી અને મારફાડ ચાલે, તો મૂઠીભર અંગ્રેજોનું શું થાય તેની કલ્પના કરવાની જરૂર નથી. એટલે અક્કલપૂર્વક વિચાર કરીએ, તો તો કબૂલ કરવું જ પડે કે, હિંદુસ્તાનમાં સારું અને સંતોષકારક રાજ્ય ચલાવવું તેમ જ કાયદો અને વ્યવસ્થા જાળવવાં, એ વસ્તુ હિંદુસ્તાન કરતાં ઈગ્લેંડને વધુ અગત્યની છે. એટલે ન્યાયની દષ્ટિએ એમ કહેવું જોઈએ કે, હિંદુસ્તાનનું રાજતંત્ર ચલાવવામાં જે કાંઈ ખર્ચ થાય છે, તેની ફાળવણી એકલા હિંદુસ્તાન ઉપર થવાને બદલે ઇંગ્લેંડ અને હિંદુસ્તાન બંને દેશ ઉપર થવી જોઈએ. તેમ જ તેમાં જેનું હિત વધારે હોય. તેમ જ જેની શક્તિ વધારે હોય, તેને ભાગે જ તે ખર્ચમાંથી વિશેષ હિસ્સો જો જોઈએ. કોઈ ન્યાયી અંગ્રેજ એવું તો નહિ જ કહે, કે હિંદી સામ્રાજ્યનો બધે લાભ, યશ અને ફાયદે ઇગ્લેંડને મળે. અને તેનું તમામ ખર્ચ હિંદુસ્તાન એકલા ઉપર લાદવામાં આવે !
એમ દલીલ કરવામાં આવે કે, હિંદુસ્તાનના રાજ્યતંત્રનું ખર્ચ હિંદીઓએ જ ઉઠાવવું જોઈએ; કારણકે અંગ્રેજોને બદલે દેશી રાજ્યકર્તાઓ હોત, તે પણ તેમને તેટલું ખર્ચ કરવું જ પડત. હા, વાત સાચી છે; પરંતુ ત્યારે અંગ્રેજોને હિંદુસ્તાનમાં નોકરીએ પણ ન મળતી હોત. અત્યારે મુલકી તેમ જ લશ્કરી ખાતાંમાં મનસ્વી રીતે, તેમ જ બળજબરીથી મેટા પ્રમાણમાં ગેરાઓને જે નોકરી આપવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org