________________
૧૩૪
હિંદુસ્તાનની ગરીબાઈ જીવનભર ભૂખે ટળવળ્યા કરવાનું પસંદ કરે ? ગોરા જુલમગારના રાજ્યમાં લોકો અલબત્ત સંપૂર્ણ શાંતિમાં રહી શકે છે; દેશી જુલમગારના રાજ્યની પેઠે તેમના ઉપર મારઝૂડ નથી થતી; પરંતુ તેમનું જીવનતત્ત્વ ચૂસી લેવામાં આવે છે, અને તે પણ એવી કાળજીથી કે તેમને જરાય ખબર ન પડે. કે તેમને જરાય વેદના ન થાય. લોક શાંતિમાં ભૂખે મરે છે અને કાયદા તથા વ્યવસ્થા સાથે જ મરણ પામે છે !
માટે અંગ્રેજોએ હવે ભૂતકાળની ગેરવ્યવસ્થાની વાત યાદ દેવરાવ્યા કરવાને બદલે વર્તમાન પરિસ્થિતિ અને તેમના હાથે થતી હિંદુસ્તાનની ચાલ પાયમાલીની વસ્તુસ્થિતિને હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યને આશીર્વાદરૂપ બનાવવું, તેમ જ ઇંગ્લંડની દષ્ટિએ તેની અખંડ કીર્તિરૂપ તથા આર્થિક દૃષ્ટિએ અત્યુત્તમ લાભ૩પ બનાવવું, એ અંગ્રેજોના પિતાના હાથની વાત છે. હિંદીઓને તેમના દેશનું રાજતંત્ર સ્વતંત્રતાથી ચલાવવા દઈને, કે પોતે વારંવાર જે શબ્દો વિદ્યા કરે છે તે પ્રમાણે, ‘હિંદુસ્તાનના હિતમાં જ હિંદુસ્તાનનું તંત્ર ચલાવીને’ એ વસ્તુ સાધી શકાય તેમ છે. સકળ પ્રજાને ભાગ્યવિધાતા અંગ્રેજોને તેમની હિંદુસ્તાન તરફની ફરજ પ્રત્યે જાગૃત કરે, એ જ મારી નમ્ર અને હાર્દિક પ્રાર્થના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org