________________
૧૩૨
હિંદુસ્તાનની ગરીબાઈ જ્યાં સુધી દેશ જેટલું ઉત્પન્ન કરી શકે તેટલું તમે તેને ઉત્પન્ન ન કરવા દો, તથા લેકે જેટલું ઉત્પન્ન કરે તેટલું તેમને ભોગવવા ન દો, ત્યાં સુધી તમારાથી વસ્તીના બેહદ વધારાની દલીલ આપી શકાય જ નહીં. પહેલાં તમે તમારી લૂંટ બંધ કરો; પછી સિદ્ધ થવા દો કે હિંદુસ્તાન પોતાની મેટી વસ્તીને પિષી શકે તેમ છે કે નહિ. મિલે કહ્યું છે તેમ, દેશની ઉદ્યોગશક્તિ હંમેશાં દેશની મૂડીથી મર્યાદિત રહે છે; તેમ જ તે મૂડી ઉદ્યોગશક્તિને જોઈતાં સાધન તેમ જ નિર્વાહ માટે અન્ન જેટલા પ્રમાણમાં પૂરાં પાડી શકે, તેટલા પ્રમાણમાં જ દેશમાં ઉદ્યોગ સંભવી શકે છે. અંગ્રેજો પિતે જ હિંદુસ્તાનની ઉદ્યોગશક્તિના પ્રાણરૂપ મૂડીને જ્યાં સુધી વગર વિચાર્યું ખેંચ્યાં જાય છે, ત્યાં સુધી સ્વાભાવિક આર્થિક નિયમોના અમલની વાત કરવી એ દાઝયા ઉપર ડામ દેવા જેવું છે. બેહદ વસ્તીની કે કલ્પનામાં આવે તેવી બીજી બધી અપ્રસ્તુત દલીલો કરવાનું અંગ્રેજોને સુઝે છે; માત્ર જે ખરું કારણ છે – પોતે કરેલું શેષણ – તે જ આગળ ધરવાનું તેમને ઠીક લાગતું નથી ! * આ પત્રમાં મેં ઘણું હિંદીઓના મનમાં ઘોળાયા કરતા વિચારે લંબાણથી તથા છૂટથી રજૂ કર્યા છે. હિંદીઓને હંમેશાં એકની એક વાત યાદ દેવરાવ્યા કરવી કે, અંગ્રેજોએ હિંદુસ્તાનમાં ગેરવ્યવસ્થાને બદલે શાંતિ સ્થાપી છે, અને એ એક વાત વડે પછીની પોતાની ખામીઓ કે અન્યાય તથા તેમને કારણે થતી દેશની આર્થિક અને નૈતિક પાયમાલીની વાતને ઉડાવ્યા કરવી, એ બેહૂદુ તથા મૂર્ખાઈ ભરેલું છે. અત્યારને હિંદીઓએ પહેલાંની એ ગેરવ્યવસ્થા જાતે જોઈ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org