________________
૧૨૮
હિંદુસ્તાનની ગરીબાઈ
અંગ્રેજો વારંવાર હિંદુસ્તાનની હદબહારની વસ્તીની દલીલ કરે છે, અને વધારે પડતી વસ્તીને કારણે અમલમાં આવતા નિષ્ફર આર્થિક કાયદાઓનો ઉલ્લેખ કરે છે. એમ કહેવામાં આવે છે કે, “આપણે હિંદુસ્તાનમાંથી લડાઈ નાબૂદ કરી છે, અને દુકાળ નાબુદ કરી રહ્યા છીએ. પરંતુ, તેને પરિણામે હવે દર વર્ષ સતત વધતા જતા મનુષ્યનાં ધાડાને ખવરાવવું ક્યાંથી ?” ખરી રીતે તો અંગ્રેજો હિંદુસ્તાનમાંથી દુકાળે નાબૂદ કરી રહ્યા છે એમ કહેવું એ જ બહુ વિચિત્ર છે. બહુમાં બહુ તો કોઈ કારમાં દુકાળ વખતે ભૂખે મરતી. મોટી સંખ્યાના અલ્પતમ અંશને પેટ પૂરતું ખાવાનું મળે તેટલી મદદ તેઓ કોઈ કોઈ વાર કરે છે. પરંતુ તે વાત જવા દઈએ; અને મુખ્ય દલીલને જ વળગીએ. તેઓ કહે છે કે, તેમના રાજ્યની સુખશાંતિને કારણે વધતાં જતાં મનુષ્યનાં ધાડાંને ખવરાવવું કેવી રીતે ? તેને જવાબ મેકોલેના શબ્દોમાં આપીએ :
“જ્યારે આ ટાપુ (ઈગ્લેંડ) આછી વસ્તીવાળો હતો. ત્યારે તે જંગલી હતો. તેની પાસે નામની મૂડી હતી; અને તે પણ સુરક્ષિત નહોતી. હવે એ જ ટાપુ આખી દુનિયામાં સૌથી વધુ ધનવાન તેમ જ સુધરેલો દેશ બન્યા છે; પરંતુ તેની વસ્તી બહુ ગીચ બની ગઈ છે. . . . આપણે આપણી સ્થિતિને આપણા પૂર્વજોની સ્થિતિ સાથે સરખાવીશું તો માલૂમ પડશે કે, સુધારાની પ્રગતિથી નીપજતા લાભોએ,
* Southeys. Colloquies oo Societr'eupai radhi.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org