________________
હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૨૫. બીજી એક વિચિત્ર વાત એ છે કે, લોકપ્રતિનિધિત્વવાળાં રાજકીય બંધારણો મેળવવા લડતી દુનિયાની બધી પ્રજાએ પ્રત્યે ઇંગ્લંડ સહાનુભૂતિ બતાવે છે અને તેમને તેમની લડતમાં મદદ કરે છે. આમ એક બાજુ તે તેવાં બંધારણની જનની તેમ જ સહાયક કહેવાય છે, જ્યારે બીજી બાજુ હિંદુસ્તાનમાં તે અવિચારીપણે જુલમી અને નવાબશાહી રાજ્યતંત્ર ચલાવી રહ્યું છે. ખરી રીતે તે આખી દુનિયામાં પ્રતિનિધિત્વવાળું રાજકીય બંધારણ પ્રાપ્ત કરવામાં ઈગ્લંડની મદદ મેળવવાનો સૌથી વધારે હક હિંદુસ્તાનને છે. હું એમ નથી કહેતો કે હિંદુસ્તાનને એકદમ પૂરેપૂરું કપ્રતિનિધિવાળું રાજતંત્ર બક્ષી દેવામાં આવે. પરંતુ હું એ પૂછવા માગું છું કે, મ્યુનિસિપાલિટીઓમાં થોડું ઘણું લોકપ્રતિનિધિત્વ આપવાના અપવાદ સિવાય, ઇંગ્લડે હિંદીઓને કશા પણ રાજકારભારમાં થોડુંઘણુંય પ્રતિનિધિત્વ આપવાનો કદી પ્રમાણિક પ્રયત્ન કર્યો છે?
અત્યારે ધારાસભામાં સરકાર તરફથી સભાસદે. નીમવાની પદ્ધતિ સામે કે, કેવાં વિચિત્ર રમકડાં તે પદ્ધતિ હેઠળ નીમવામાં આવે છે તે સામે, મારે કાંઈ કહેવું નથી. પણ હું એમ જરૂર કહેવા માગું છું કે, થોડીઘણું શરૂઆત આજે પણ કરી શકાય તેમ છે. દાખલા તરીકે, મુંબઈની ધારાસભા ૨૧ સભ્યોની બનાવવામાં આવે, તથા તેમાંથી ૧૩ જણને અમલદાર વર્ગમાંથી કે બિનઅમલદાર વર્ગમાંથી સરકાર નીમે, અને બાકીના આઠને ઇલાકાનાં મુખ્ય શહેરે ચૂંટી કાઢે. તો સરકારની બહુમતી તે કાયમ જ રહે, રાજતંત્ર પણ ઇંગ્લંડની પેઠે બહુમતીથી જ ચાલે, પરંતુ સરકાર કોઈ વખતે કાંઈ ગંભીર..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org