________________
૧૨૪ હિંદુસ્તાનની ગરીબાઈ
કેટલાક વ્યક્તિગત અંગ્રેજો દુકાળને વખતે જે કાંઈ સુંદર કાર્ય કરે છે, તેમ જ સરકાર પોતે પણ જે કાંઈ ખર્ચ કરે છે, તથા અંગ્રેજ લેકે ઈગ્લેંડથી પણ જે કાંઈ મદદ મોકલાવે છે, તે બધું અલબત્ત પ્રશંસાપાત્ર છે. પરંતુ નવાઈની વાત એ છે કે, અંગ્રેજ રાજકર્તાઓ એટલું જોઈ નથી શકતા કે, દુકાળથી જે વિનાશ હિંદુસ્તાનમાં પ્રવર્તી રહે છે, તેનું મુખ્ય કારણ તેઓ પોતે જ છે. તેઓ પોતે જ જે ધનસંપત્તિ જુદી જુદી રીતે દર વર્ષે હિંદુસ્તાનમાંથી * ઘસડી જાય છે, તેને પરિણામે જ આ યાતના, આ ભૂખમરો અને આ વિનાશ દેશમાં વ્યાપી રહે છે. ઈ. સ. ૧૮૭૮ની સાલના દુકાળ વખતે ઇંગ્લંડે ૭૦૦,૦૦૦ પાઉંડની મદદ હિંદુસ્તાનને કરી હતી. પરંતુ એટલું યાદ રાખવું જોઈએ કે, તેમના અન્યાયી રાજતંત્ર હેઠળ તેઓ દર વર્ષે તેનાથી ૩૦ કે ૪૦ ગણી મોટી રકમ ગરીબ હિંદુસ્તાનમાંથી પડાવે છે. તે દુકાળથી માંડીને આજસુધીનાં ૧૮ વર્ષ દરમ્યાન જ તેમણે કુલ ૪૦૦,૦૦૦,૦૦૦ પાઉડથી પણ વધારે રકમ હિંદુસ્તાનમાંથી પડાવી છે. છેલ્લાં ૧૫૦ વર્ષમાં તે રીતે તેમણે કુલ કેટલી રકમ પડાવી છે, તેનો વિચાર તો જવા દઈએ. એટલે અત્યારે દુકાળને પ્રસંગે તેઓ છ લાખ પાઉંડ તે શું પણ ૪૦ લાખ કે પ૦ લાખ પાઉંડ હિંદુસ્તાનને મદદ તરીકે આપે, તો પણ તે “કેશની ચેરી ને સાયની અણનું દાન’ જ કહેવાય. સૌથી પ્રથમ તમે પોતે ગરીબ હિંદીઓની કાશ ચોરવાનું બંધ કરો. એટલે પછી તેને તમારાં સોયની અણીએનાં દાનની જરૂર જ નહીં રહે. તેની પોતાની પાસે જ તે વખતે આખી દુનિયામાંથી ધાન ખરીદવાના પૈસા હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org